Ahmedbadaના ઈન્દુબેન ખાખરાવાળાના ખાખરામાથી નીકળી ઈયળ, ગ્રાહકે કર્યો હોબાળો

અમદાવાદમાં ફરીથી નાસ્તામાં ઈયળ નીકળવાની ઘટના બની છે.અમદાવાદના ઈન્દુબેન ખાખારાવાળા કે જેમની બ્રાન્ડ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.અને આજે તે બદનામ થઈ ગઈ છે,કારણકે ગ્રાહકે ત્યાંથી ખાખરાની ખરીદી કરી અને ઘરે જોઈને જોયું તો તેમાંથી ઈયળ નીકળી હતી,સમગ્ર ઘટનાને લઈ વાત તો ત્યારે સામે આવી કે જયારે બાળકને ખાખરા ખાવા માટે આપ્યા. સીજી રોડ ખાતેના સ્ટોરમાં બની ઘટના અમદાવાદમાં ઈન્દુબેનના ખાખરા પ્રખ્યાત છે અને આ ખાખરામાં પણ અલગ-અલગ વેરાઈટીઝ જોવા મળતી હોય છે,ગ્રાહકે સીજી રોડ ખાતે આવેલી બ્રાન્ચમાંથી ખાખરાની ખરીદી કરી અને ઘરે જઈને જોયું તો તેમાથી ઈયળ નીકળી હતી,સમગ્ર ઘટનામાં ગ્રાહક ખાખરા લઈને ઈન્દુબેનના ત્યાં ગયો તો સ્ટોરના મેનેજરે રૂપિયા પાછા આપી દઈએ તેમ કહી મામલો દબાવવાનો પ્રયત્ન કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.સમગ્ર ઘટનાને લઈ ફૂડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગે તપાસ હાથધરી છે. સિંધુભવનની રેસ્ટોરન્ટમાંથી પથ્થર નીકળ્યો રેસ્ટોરન્ટમાં ભોજનમાં જીવાત બાદ હવે પથ્થર નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે.સિંધુભવનની ડોસબ્રોસ રેસ્ટોરન્ટમાં આ પથ્થર નીકળ્યો હતો અને ગ્રાહકે સમગ્ર મામલાને લઈ કોર્પોરેશનના ફૂડ વિભાગને જાણ કરી હતી.આ બધી વાતને લઈ એક વાત એ પણ સાબિત થાય છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તપાસ તો કરે છે પરંતુ દંડ કરીને માફ કરી દેવામાં આવે છે. ખાદ્ય વસ્તુઓ સામે ઉભા થયા સવાલો છેલ્લા કેટલાય દિવસોથી દેશમાં એક અલગ જ સમસ્યા ઊભી થઈ છે. લોકોને ખાદ્ય પદાર્થોમાં એવી વસ્તુઓ મળી રહી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે અને ખાદ્ય સુરક્ષા પર સવાલો ઉભા કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં, દેશના વિવિધ ભાગોમાંથી લોકોને ખાદ્ય ચીજોમાં સાપ, કાપેલી આંગળી અને બ્લેડ જ્યારે 19મી જૂને તો ગુજરાતના જામનગરમાં વેફરના પેકેટમાંથી મરેલો દેડકો મળી આવ્યો હતો. ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, લોકોના જીવ સાથે આ કેવા પ્રકારની રમત રમાઈ રહી છે? ખોરાકમાં જીવ જંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવતી સંસ્થાની જે માટે આ તંત્ર ધ્વારા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબાઓને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ, 2006 અને તે અન્વયેના ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડસ (લાયસન્સીગ & રજીસ્ટ્રેશન) રેગ્યુલેશન,2011ના શિડ્યુલ -IV મુજબની હાયજીન એન્ડ સેનીટેશનની જોગવાઇઓનુ પાલન થાય તે માટે ઇન્સપેકશન કરી જરૂર પડે ઇમ્પ્રુવમેંટ નોટીસ આપવામાં આવે છે.જો આ નોટીસની સુચનાઓનુ પાલન ન કરવામા આવે તો લાયસન્સ/રજીસ્ટ્રેશન રદ કરી પેઢીને જાહેર હિતમાં બંધ કરાવવામાં આવે છે અને ફુડ સેફ્ટી કાયદાની કલમ-૫૬ હેઠળ રૂ. એક લાખ દંડની જોગવાઇ કાયદામાં કરવામાં આવેલ છે. તૈયાર ખોરાકમાં જીવ જંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવી પિરસતા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબા-કેંટીન -ભોજનાલયો ચલાવતા વેપારીઓની છે. જે માટે તેઓએ રસોડાની સાફ સફાઇ સતત કરાવવી, બારીઓ અને એક્જોહસ્ટ પંખા પર નેટથી કવર કરવા, દરવાજામાં જીવ જંતુઓ પ્રવેશ ન કરે તે માટે કવર કરવા, યોગ્ય જગ્યાએ ફ્લાય કેચર્સ રાખવા, ડ્રેનેજ સીસ્ટમને કવર કરવી, ઓથરાઇજ એજન્સી પાસે સમયાંતરે પેસ્ટ કંટ્રોલ કરાવવી તથા તેનો રેકર્ડ સાચવવો વિગેરે જેવી બાબતોનુ ખાસ તકેદારી રાખવાની રહે છે. ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી જમવાનો આગ્રહ રાખવો જોઇએ. આ તંત્ર દ્વારા હાઇજીન રેટીંગ સ્કીમ હેઠળ હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાઓને હાઇજીન અને સેનીટેશન બાબતે થર્ડ પાર્ટી ઓડીટ કરી તાલીમ આપી રાજ્યમાં હોટલ/રેસ્ટોરન્ટના હાયજીન રેટિંગ કરવામાં આવેલ છે જેના થકી ગ્રાહકોને હોટલની પસંદગી કરી શકે છે. જો કોઇ ગ્રાહકને તેઓને પીરસેલા કોઇ ખોરાકમાં જીવ જંતુઓ મળી આવે તો તેઓએ જેતે કોર્પોરેશન /જીલ્લાની ફુડ વિભાગની ઓફીસનો ફરિયાદ કરી શકાય છે.વધુમા રાજ્ય કક્ષાએ કાર્યરત ફુડ સેફ્ટી હેલ્પડેસ્કના ટોલ ફ્રી નબર: ૧૮૦૦૨૩૩૫૫૦૦, ૧૪૪૩૫ તથા મોબાઇલ નબર ૯૦૯૯૦૧૩૧૧૬, ૯૦૯૯૦૧૨૧૬૬ અથવા હેલ્પ ડેસ્કના ઇ-મેઇલ [email protected] પર ફરિયાદ નોંધાવી શકાય છે. છેલ્લા એક મહિનામાં અનેક ઘટનાઓ બની ડિજિટલાઈજેશન બાદ લોકો ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ પરથી વધુ ફૂડ આઈટમ ઓર્ડર કરવાનો ટ્રેન્ડ શરૂ થયો. આવી સ્થિતિમાં લોકોને તૈયાર ખોરાક પૂરો પાડતી કંપનીઓ દાવો કરે છે કે તેઓ ખાધ્ય સુરક્ષાને લઈને ખૂબ જ જાગૃત છે. તેમ છતાંય છેલ્લા ઘણા દિવસોમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવા કિસ્સાઓ સામે આવ્યા છે જે ખાદ્ય સુરક્ષાના આ દાવાઓને નિષ્ફળ ગણાવી રહ્યા છે. આવી સ્થિતિમાં શું ખાવું અને શું મંગાવવું તેને લઈને લોકોમાં મુંઝવણ ઉભી થઈ છે.

Ahmedbadaના ઈન્દુબેન ખાખરાવાળાના ખાખરામાથી નીકળી ઈયળ, ગ્રાહકે કર્યો હોબાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ફરીથી નાસ્તામાં ઈયળ નીકળવાની ઘટના બની છે.અમદાવાદના ઈન્દુબેન ખાખારાવાળા કે જેમની બ્રાન્ડ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.અને આજે તે બદનામ થઈ ગઈ છે,કારણકે ગ્રાહકે ત્યાંથી ખાખરાની ખરીદી કરી અને ઘરે જોઈને જોયું તો તેમાંથી ઈયળ નીકળી હતી,સમગ્ર ઘટનાને લઈ વાત તો ત્યારે સામે આવી કે જયારે બાળકને ખાખરા ખાવા માટે આપ્યા.

સીજી રોડ ખાતેના સ્ટોરમાં બની ઘટના

અમદાવાદમાં ઈન્દુબેનના ખાખરા પ્રખ્યાત છે અને આ ખાખરામાં પણ અલગ-અલગ વેરાઈટીઝ જોવા મળતી હોય છે,ગ્રાહકે સીજી રોડ ખાતે આવેલી બ્રાન્ચમાંથી ખાખરાની ખરીદી કરી અને ઘરે જઈને જોયું તો તેમાથી ઈયળ નીકળી હતી,સમગ્ર ઘટનામાં ગ્રાહક ખાખરા લઈને ઈન્દુબેનના ત્યાં ગયો તો સ્ટોરના મેનેજરે રૂપિયા પાછા આપી દઈએ તેમ કહી મામલો દબાવવાનો પ્રયત્ન કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.સમગ્ર ઘટનાને લઈ ફૂડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગે તપાસ હાથધરી છે.


સિંધુભવનની રેસ્ટોરન્ટમાંથી પથ્થર નીકળ્યો

રેસ્ટોરન્ટમાં ભોજનમાં જીવાત બાદ હવે પથ્થર નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે.સિંધુભવનની ડોસબ્રોસ રેસ્ટોરન્ટમાં આ પથ્થર નીકળ્યો હતો અને ગ્રાહકે સમગ્ર મામલાને લઈ કોર્પોરેશનના ફૂડ વિભાગને જાણ કરી હતી.આ બધી વાતને લઈ એક વાત એ પણ સાબિત થાય છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તપાસ તો કરે છે પરંતુ દંડ કરીને માફ કરી દેવામાં આવે છે.

ખાદ્ય વસ્તુઓ સામે ઉભા થયા સવાલો

છેલ્લા કેટલાય દિવસોથી દેશમાં એક અલગ જ સમસ્યા ઊભી થઈ છે. લોકોને ખાદ્ય પદાર્થોમાં એવી વસ્તુઓ મળી રહી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે અને ખાદ્ય સુરક્ષા પર સવાલો ઉભા કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં, દેશના વિવિધ ભાગોમાંથી લોકોને ખાદ્ય ચીજોમાં સાપ, કાપેલી આંગળી અને બ્લેડ જ્યારે 19મી જૂને તો ગુજરાતના જામનગરમાં વેફરના પેકેટમાંથી મરેલો દેડકો મળી આવ્યો હતો. ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, લોકોના જીવ સાથે આ કેવા પ્રકારની રમત રમાઈ રહી છે?

ખોરાકમાં જીવ જંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવતી સંસ્થાની

જે માટે આ તંત્ર ધ્વારા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબાઓને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ, 2006 અને તે અન્વયેના ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડસ (લાયસન્સીગ & રજીસ્ટ્રેશન) રેગ્યુલેશન,2011ના શિડ્યુલ -IV મુજબની હાયજીન એન્ડ સેનીટેશનની જોગવાઇઓનુ પાલન થાય તે માટે ઇન્સપેકશન કરી જરૂર પડે ઇમ્પ્રુવમેંટ નોટીસ આપવામાં આવે છે.જો આ નોટીસની સુચનાઓનુ પાલન ન કરવામા આવે તો લાયસન્સ/રજીસ્ટ્રેશન રદ કરી પેઢીને જાહેર હિતમાં બંધ કરાવવામાં આવે છે અને ફુડ સેફ્ટી કાયદાની કલમ-૫૬ હેઠળ રૂ. એક લાખ દંડની જોગવાઇ કાયદામાં કરવામાં આવેલ છે. તૈયાર ખોરાકમાં જીવ જંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવી પિરસતા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબા-કેંટીન -ભોજનાલયો ચલાવતા વેપારીઓની છે. જે માટે તેઓએ રસોડાની સાફ સફાઇ સતત કરાવવી, બારીઓ અને એક્જોહસ્ટ પંખા પર નેટથી કવર કરવા, દરવાજામાં જીવ જંતુઓ પ્રવેશ ન કરે તે માટે કવર કરવા, યોગ્ય જગ્યાએ ફ્લાય કેચર્સ રાખવા, ડ્રેનેજ સીસ્ટમને કવર કરવી, ઓથરાઇજ એજન્સી પાસે સમયાંતરે પેસ્ટ કંટ્રોલ કરાવવી તથા તેનો રેકર્ડ સાચવવો વિગેરે જેવી બાબતોનુ ખાસ તકેદારી રાખવાની રહે છે.

ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી

ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી જમવાનો આગ્રહ રાખવો જોઇએ. આ તંત્ર દ્વારા હાઇજીન રેટીંગ સ્કીમ હેઠળ હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાઓને હાઇજીન અને સેનીટેશન બાબતે થર્ડ પાર્ટી ઓડીટ કરી તાલીમ આપી રાજ્યમાં હોટલ/રેસ્ટોરન્ટના હાયજીન રેટિંગ કરવામાં આવેલ છે જેના થકી ગ્રાહકોને હોટલની પસંદગી કરી શકે છે. જો કોઇ ગ્રાહકને તેઓને પીરસેલા કોઇ ખોરાકમાં જીવ જંતુઓ મળી આવે તો તેઓએ જેતે કોર્પોરેશન /જીલ્લાની ફુડ વિભાગની ઓફીસનો ફરિયાદ કરી શકાય છે.વધુમા રાજ્ય કક્ષાએ કાર્યરત ફુડ સેફ્ટી હેલ્પડેસ્કના ટોલ ફ્રી નબર: ૧૮૦૦૨૩૩૫૫૦૦, ૧૪૪૩૫ તથા મોબાઇલ નબર ૯૦૯૯૦૧૩૧૧૬, ૯૦૯૯૦૧૨૧૬૬ અથવા હેલ્પ ડેસ્કના ઇ-મેઇલ [email protected] પર ફરિયાદ નોંધાવી શકાય છે.

છેલ્લા એક મહિનામાં અનેક ઘટનાઓ બની

ડિજિટલાઈજેશન બાદ લોકો ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ પરથી વધુ ફૂડ આઈટમ ઓર્ડર કરવાનો ટ્રેન્ડ શરૂ થયો. આવી સ્થિતિમાં લોકોને તૈયાર ખોરાક પૂરો પાડતી કંપનીઓ દાવો કરે છે કે તેઓ ખાધ્ય સુરક્ષાને લઈને ખૂબ જ જાગૃત છે. તેમ છતાંય છેલ્લા ઘણા દિવસોમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવા કિસ્સાઓ સામે આવ્યા છે જે ખાદ્ય સુરક્ષાના આ દાવાઓને નિષ્ફળ ગણાવી રહ્યા છે. આવી સ્થિતિમાં શું ખાવું અને શું મંગાવવું તેને લઈને લોકોમાં મુંઝવણ ઉભી થઈ છે.