Ahmedabad:શુદ્ધ ઘીમાં ભેળસેળ યથાવત્ઃ રાજ્યવ્યાપી દરોડામાં 1.4 કરોડનું બનાવટી ઘી ઝડપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં કચ્છ અને જામનગર જીલ્લામાં 2 કંપનીમાં દરોડા પાડી શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ રૂા.1.4 કરોડનો માલ જપ્ત કરાયો છે. શુદ્ધ ઘીમાં ભેળસેળ કરવા માટે રિફાઇન્ડ પામ તેલનો ઉપયોગ કરતાં હતાં. તહેવાર સમયે મોટાપાયે ઘી અને તેલમાં ભેળસેળ કરતા વેપારીઓ પર હવે તવાઈ શરૂ કરી છે.
ફૂડ એન્ડ ડ્ર્ગ્સની ટીમે ગાંધીધામ ખાતે આવેલ ભારત ફૂડ કો-ઓપરેટિવ લિ.માંથી 2 રિફાઈન્ડ પામ તેલ, 1 સવેરા બ્રાન્ડ રિફાઈન્ડ પામ તેલ અને 1 વનસ્પતિના એમ કુલ 4 (ચાર) નમૂનાઓ લીધા હતા. જેમાં શંકાસ્પદ 1.32 કરોડનો 67 ટન રિફાઈન્ડ પામ તેલનો જથ્થો સીઝ કર્યો છે. પેઢીમાં રિફાઈન્ડ પામ તેલ સવેરા બ્રાન્ડથી 15 કિગ્રાના પેકિંગમાં ઉત્પાદન કરી વેચાણ થતુ હતું.
આ ઉપરાંત ધ્રોલની મે. ક્રિષ્ના ટ્રેડિંગમાં સ્થળ પરથી ઘીમાં સોયાબીન અને વનસ્પતિનું ભેળસેળ કરાતુ હતું, વેપારી ભરત ખિમસુરિયાની હાજરીમાં ઘીના બે, વનસ્પતિના એક અને સોયાબીન તેલના એક એમ કુલ ચાર નમૂના લીધા હતા. જ્યારે બાકીનો 5.8 લાખની કિમંતનો બે ટન જેટલો ખાદ્ય પદાર્થનો જથ્થો સિઝ કરાયો છે. તંત્ર દ્વારા મે. ક્રિષ્ના ટ્રેડિંગ કો.નું લાયસન્સ રદ કરાયુ છે.
What's Your Reaction?






