Ahmedabadમાં TRB જવાનો હડતાળ પર ઉતર્યા, શહેરમાં સર્જાઈ ટ્રાફિકજામની સમસ્યા

અમદાવાદ શહેર સહિત ગુજરાતમાં ફરજ બજાવતા ટીઆરબી ટ્રાફિક જવાનો હડતાળ પર ઉતરી ગયા છે,વેતનમાં વધારો કરવાની માંગ સાથે જવાનો હડતાળ પર ઉતરી જતા શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે.અમદાવાદના વાડજ તેમજ આરટીઓ સહિતના માર્ગો પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાતા લોકોને હેરાનગતિ થઈ રહી છે. ગાંધી આશ્રમ પાસેનો બ્રિજ ટ્રાફિકથી થયો બ્લોક અમદાવાદનો ધમધમતો રોડ એટલે ગાંધી આશ્રમ રોડ અને આ રોડ પર વાહનોની અવર-જવર રહેતી હોય છે,પરંતુ ટ્રાફિકના ટીઆરબી જવાનો હડતાળ પર ઉતરતા શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખોરવાઈ ગઈ છે,ઓફિસ જવાના સમયે ટ્રાફિક વધતા શહેરીજનો હેરાન થઈ ગયા છે.બીજી તરફ અમદાવાદ શહેરની ટ્રાફિક પોલીસ પણ રોડ પર જોવા મળી નથી,જેના કારણે સમસ્યા વધી ગઈ છે.જો અમદાવાદ ટ્રાફિક પોલીસ રોડ પર ઉભી હોત તો આ સમસ્યાનું નિર્માણ થયું ના હોય. કેમ ઉતર્યા છે હડતાળ પર ટીઆરબી જવાનો ગુજરાતભરમાં ટીઆરબી જવાનો હડતાળ પર ઉતર્યા છે,આ ટીઆરબી જવાનોની માગ પગાર વધારાની છે,હાલમાં તેઓને રૂપિયા 300નું રોજ લેખે વેતન આપવામાં આવે છે પરંતુ તેમની માગ છે કે 500 રૂપિયા વેતન આપવામાં આવે જેને લઈ હડતાળ પર ઉતરી ગયા છે.જેને કારણે રાજ્યની ટ્રાફિક વ્યવસ્થા પર મોટા પાયે અસર થઈ છે.શહેરની ટ્રાફિક પોલીસ આ વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે જેના કારણે ટ્રાફિક સમસ્યાનું સર્જન થયું છે. ટીઆરબી જવાનો હડતાળમાં જોડાયા આ હડતાળમાં રાજ્યભરના 6000થી વધુ ટીઆરબી જવાનો હડતાળમાં જોડાયા છે, જેમાં અમદાવાદના 1600 જેટલા જવાનો પણ સામેલ છે. નોંધનીય વાત એ છે કે, ટીઆરબી જવાનોએ ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવવી બંધ કરીને, હડતાળ તરીકે રાજ્યના વિવિધ સ્થળોએ ભેગા થવાનું નક્કી કર્યું છે. હડતાળના ભાગરૂપે અમદાવાદમાં ટીઆરબી જવાનો કલેક્ટર કચેરીએ મોરચો કાઢશે અને આવેદનપત્ર પણ આપી શકે છે.  

Ahmedabadમાં TRB જવાનો હડતાળ પર ઉતર્યા, શહેરમાં સર્જાઈ ટ્રાફિકજામની સમસ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેર સહિત ગુજરાતમાં ફરજ બજાવતા ટીઆરબી ટ્રાફિક જવાનો હડતાળ પર ઉતરી ગયા છે,વેતનમાં વધારો કરવાની માંગ સાથે જવાનો હડતાળ પર ઉતરી જતા શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે.અમદાવાદના વાડજ તેમજ આરટીઓ સહિતના માર્ગો પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાતા લોકોને હેરાનગતિ થઈ રહી છે.

ગાંધી આશ્રમ પાસેનો બ્રિજ ટ્રાફિકથી થયો બ્લોક

અમદાવાદનો ધમધમતો રોડ એટલે ગાંધી આશ્રમ રોડ અને આ રોડ પર વાહનોની અવર-જવર રહેતી હોય છે,પરંતુ ટ્રાફિકના ટીઆરબી જવાનો હડતાળ પર ઉતરતા શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખોરવાઈ ગઈ છે,ઓફિસ જવાના સમયે ટ્રાફિક વધતા શહેરીજનો હેરાન થઈ ગયા છે.બીજી તરફ અમદાવાદ શહેરની ટ્રાફિક પોલીસ પણ રોડ પર જોવા મળી નથી,જેના કારણે સમસ્યા વધી ગઈ છે.જો અમદાવાદ ટ્રાફિક પોલીસ રોડ પર ઉભી હોત તો આ સમસ્યાનું નિર્માણ થયું ના હોય.


કેમ ઉતર્યા છે હડતાળ પર ટીઆરબી જવાનો

ગુજરાતભરમાં ટીઆરબી જવાનો હડતાળ પર ઉતર્યા છે,આ ટીઆરબી જવાનોની માગ પગાર વધારાની છે,હાલમાં તેઓને રૂપિયા 300નું રોજ લેખે વેતન આપવામાં આવે છે પરંતુ તેમની માગ છે કે 500 રૂપિયા વેતન આપવામાં આવે જેને લઈ હડતાળ પર ઉતરી ગયા છે.જેને કારણે રાજ્યની ટ્રાફિક વ્યવસ્થા પર મોટા પાયે અસર થઈ છે.શહેરની ટ્રાફિક પોલીસ આ વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે જેના કારણે ટ્રાફિક સમસ્યાનું સર્જન થયું છે.

ટીઆરબી જવાનો હડતાળમાં જોડાયા

આ હડતાળમાં રાજ્યભરના 6000થી વધુ ટીઆરબી જવાનો હડતાળમાં જોડાયા છે, જેમાં અમદાવાદના 1600 જેટલા જવાનો પણ સામેલ છે. નોંધનીય વાત એ છે કે, ટીઆરબી જવાનોએ ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવવી બંધ કરીને, હડતાળ તરીકે રાજ્યના વિવિધ સ્થળોએ ભેગા થવાનું નક્કી કર્યું છે. હડતાળના ભાગરૂપે અમદાવાદમાં ટીઆરબી જવાનો કલેક્ટર કચેરીએ મોરચો કાઢશે અને આવેદનપત્ર પણ આપી શકે છે.