Ahmedabadના જમાલપુરમાં સગીર કાર ચાલકે નશાની હાલતમાં 2 બાળકો અને 1 મહિલાને અડફેટે લીધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આજે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. કેળાવાળી મસ્જિદ પાસે એક પુરપાટ ઝડપે આવી રહેલી કારે એક રિક્ષા, ત્રણ એક્ટિવા અને એક મહિલા તથા બે બાળકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ત્રણેયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ અકસ્માત એક સગીર કાર ચાલકે કર્યો છે.
1 રિક્ષા અને 3 એકટીવાને કાર ચાલકે ટક્કર મારી સર્જ્યો અકસ્માત
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કાર ચાલક માત્ર સગીર જ નહોતો પરંતુ તે નશાની હાલતમાં પણ હતો. આ ઘટના બનતાની સાથે જ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને તેમણે ઇજાગ્રસ્તોને મદદ કરી હતી. અકસ્માતની જાણ થતાં જ E ડિવિઝન ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
E ડિવિઝન ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
પોલીસ એ પણ ચકાસી રહી છે કે કાર ચાલક ખરેખર સગીર છે કે કેમ અને તે નશાની હાલતમાં હતો કે નહીં. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં બેફામ વાહન ચલાવનારાઓ સામે સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને સગીરો દ્વારા વાહન ચલાવવાની અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાની ઘટનાઓ વધી રહી છે. જો આ પ્રકારના બનાવો પર અંકુશ નહીં આવે તો ભવિષ્યમાં વધુ મોટી દુર્ઘટનાઓ સર્જાઈ શકે છે.
What's Your Reaction?






