Ahmedabad: સ્કૂલોમાં ઓક્ટોબરનો પગાર દિવાળીના તહેવાર શરૂ થવાના 10 દિવસ પહેલાં કરો

દિવાળીના તહેવાર ઓકટોબર અંતથી શરૂ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતની શાળાના શિક્ષકો તેમજ વહીવટી કર્મચારીઓ દિવાળીની ખરીદી સારી રીતે કરી શકે તે માટે ઓક્ટોબર માસનો પગાર તહેવાર શરૂ થવાના 10 દિવસ પહેલા કરવા શૈક્ષિક મહાસંઘે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી માગણી કરી હતી. જેથી તમામ શિક્ષકો અને વહીવટી કર્મચારીઓ દિવાળીની ખરીદી અગવડવા વગર કરી શકે.રાજ્યની સરકારી તથા પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો તથા કર્મચારીઓનો પગાર સરકારની વખતો વખતની સૂચના અનુસાર જે તે મહિનાના પછીના મહિનામાં પ્રથમ સપ્તાહમાં સામાન્ય રીતે થતો હોય છે. ચાલુ માસમાં જોઈએ તો 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર વચ્ચે દિવાળીનો તહેવાર ઉજવાશે. લોકો તહેવાર શરૂ થાય તેના 10 દિવસ અગાઉથી ખરીદી કરતા હોય છે. આમ, તહેવારની ખરીદી માટે લોકોને અગવડતા ન પડે તે માટે ઓક્ટોબર માસનો શિક્ષકો તથા વહીવટી કર્મચારીઓનો પગાર દિવાળીના તહેવાર પહેલા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને આ મુદ્દે પત્ર લખ્યો છે.

Ahmedabad: સ્કૂલોમાં ઓક્ટોબરનો પગાર દિવાળીના તહેવાર શરૂ થવાના 10 દિવસ પહેલાં કરો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના તહેવાર ઓકટોબર અંતથી શરૂ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતની શાળાના શિક્ષકો તેમજ વહીવટી કર્મચારીઓ દિવાળીની ખરીદી સારી રીતે કરી શકે તે માટે ઓક્ટોબર માસનો પગાર તહેવાર શરૂ થવાના 10 દિવસ પહેલા કરવા શૈક્ષિક મહાસંઘે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી માગણી કરી હતી. જેથી તમામ શિક્ષકો અને વહીવટી કર્મચારીઓ દિવાળીની ખરીદી અગવડવા વગર કરી શકે.
રાજ્યની સરકારી તથા પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો તથા કર્મચારીઓનો પગાર સરકારની વખતો વખતની સૂચના અનુસાર જે તે મહિનાના પછીના મહિનામાં પ્રથમ સપ્તાહમાં સામાન્ય રીતે થતો હોય છે. ચાલુ માસમાં જોઈએ તો 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર વચ્ચે દિવાળીનો તહેવાર ઉજવાશે. લોકો તહેવાર શરૂ થાય તેના 10 દિવસ અગાઉથી ખરીદી કરતા હોય છે.
આમ, તહેવારની ખરીદી માટે લોકોને અગવડતા ન પડે તે માટે ઓક્ટોબર માસનો શિક્ષકો તથા વહીવટી કર્મચારીઓનો પગાર દિવાળીના તહેવાર પહેલા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને આ મુદ્દે પત્ર લખ્યો છે.