Ahmedabad: વિધવા મહિલાને મેટ્રોમોનિયલ સાઇટ પર જીવનસાથીની શોધ ભારે પડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં વિધવા મહિલાને મેટ્રોમોનિયલ સાઇટ પર જીવનસાથીની શોધ ભારે પડી છે.મેટ્રોમોનિયલ સાઇટ પરથી વિધવા મહિલાનો સંપર્ક એક ચીટર સાથે થઇ ગયો. અને તેણે મહીલાને આલીશાન જીંદગી જીવવાના સપના બતાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યુ અને દાગીના લઇને પલાયન થઇ ગયો હતો.જે બાબતની જાણ મહીલાએ પોલીસને કરતા પોલીસે ફરીયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી છે.
કરોડપતિ હોવાનો દેખાવ કરીને મહીલાને વિશ્વાસમાં લીધી
પોલીસ સકંજામાં રહેલા આ આરોપીનું નામ આર્યન પટેલ છે. પોરબંદરના આ આરોપીની ઇસનપુર પોલીસે સુરતના ભેસ્તાન ખાતેથી દુષ્કર્મ અને છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી છે.આરોપી ઇસનપુર વિસ્તારમાં રહેતી મહીલા સાથે દુષ્કર્મ આચરીને આલીશાન જીંદગી જીવવાના સપના બતાવી ચાર લાખ રોકડા અને સોનાના દાગીના લઇને પલાયન થઇ ગયો હતો. 2024માં મહીલાનો સંપર્ક મેટ્રોમોનિયલ સાઇટ પરથી મુંબઇ ખાતે રહેતા આર્યન પટેલ સાથે થયો હતો.આર્યને તેની પત્નીને છૂટાછેડા આપ્યા હોવાની વાત કરીને મહિલા સાથે વાતચીત શરૂ કરી હતી.પોતે કરોડપતિ હોવાનો દેખાવ કરીને મહીલાને વિશ્વાસમાં લીધી હતી.
પોલીસે સુરતના ભેસ્તાન ખાતેથી આરોપીની ધરપકડ કરી
આરોપીએ પોતે કરોડપતિ હોવાનું સાબિત કરવા માટે ગાંધીનગરમાં સાત કરોડ રૂપીયાનો વીલા બુક કરાવ્યો હતો.જેના માટે તેણે રૂપીયા 50 લાખનો ચેક પણ આપ્યો હતો. જ્યારે મહિલાના બંન્ને દીકરાઓ માટે તેણે બે લક્ઝુરિયસ કાર પણ બુક કરાવી હતી.એટલું જ નહીં એક દીકરાને ટીવીએસનો શો રૂમ બનાવી આપવા માટે જગ્યા ભાડે લઇને દીકરાના નામે ભાડા કરાર પણ કરાવ્યો હતો.જો કે મહીલા સાથે દુષ્કર્મ આચરીને રૂપીયા તેમજ દાગીના પડાવ્યા બાદ ધંધાના કામે બહારગામ જવાનું હોવાનું કહીને તે પલાયન થઇ ગયો હતો.મહિલાએ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે સુરતના ભેસ્તાન ખાતેથી આરોપીની ધરપકડ કરી છે.
તે મૂળ પોરબંદરના બોખીરા ગામનો વતની
આરોપીએ પોલીસને પૂછપરછમાં જણાવ્યું હતું કે, તે મૂળ પોરબંદરના બોખીરા ગામનો વતની છે.તેના માતા પિતા સાથે સુરત ખાતે રહેતો હતો.તેના માતા પિતા વચ્ચે થયેલ ઝઘડામાં માતાએ આત્મહત્યા કરી લીધી હતી.બાદમાં તેણે પિતા સાથે કોઇ સંબંધ રાખ્યો નહતો અને મુંબઇમાં સ્થાયી થયો હતો.જ્યાં ખાનગી કોલ સેન્ટરમાં નોકરી દરમિયાન રાજસ્થાનની એક યુવતી સાથે સંપર્ક થતાં તેની સાથે લગ્ન કર્યા હતાં.લગ્નજીવન દરમિયાન તેને એક દીકરો અને દીકરી પણ હતાં.જો કે પત્ની સાથે અણબનાવ થતાં તેને છૂટાછેડા આપ્યા બાદ એકલો જ રહેતો હતો.
અઢી કરોડની છેતરપિંડીના ગુનામાં જેલમાં હતો
વર્ષ 2014માં આશરે અઢી કરોડની છેતરપિંડીના ગુનામાં બોરીવલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનામાં ત્રણ વર્ષ જેલમાં રહ્યો હતો.આરોપી વિરુદ્ધમાં વર્ષ 2019 અને 2022માં સુરત ના ઉમરા પોલીસ સ્ટેશન ખાતે લુંટ, મારા મારી, અપહરણ અને છેતરપિંડીના બે ગુનામાં પકડાયો હતો.જેમાં લુંટ અને અપહરણના ગુનામાં ત્રણ વર્ષ સુધી જેલમાં રહ્યા બાદ વર્ષ 2022માં છુટ્યો હતો. જૂન 2024માં મેટ્રોમોનિયલ સાઇટ પરથી તે મહીલાના સંપર્કમાં આવ્યો હતો.હાલમાં પોલીસએ આરોપીની ધરપકડ કરીને તેણે આ સિવાય અન્ય કોઇ મહીલા સાથે આ રીતે છેતરપિંડી આચરી છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
What's Your Reaction?






