Ahmedabad: વટવામાં પાણીની લાઇન નાખવા તંત્રે 10 વૃક્ષોનું આડેધડ નિકંદન કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
એક તરફ શહેરમાં દિવસે ને દિવસે પોલ્યુશનનું સ્તર વધી રહ્યું છે, જેમાં પણ વટવા, કઠવાડા, નારોલ જેવા વિસ્તારોમાં જીઆઈડીસી આવેલી હોવાના કારણે હવાનું સ્તર વધુને વધુ ખરાબ થઈ રહ્યું છે.
આ સ્થિતિમાં ત્યાં વૃક્ષારોપણની વધારે જરૂર છે. આ વચ્ચે વટવા જીઆઈડીસીમાં પાણીની લાઈનની કામગીરી કરવા માટે દસથી વધુ લીલા ઘટાદાર વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે અને આગળ બીજા પણ કાપવામાં આવી શકે છે. જે અંગે ત્યાં હાજર કર્મચારીઓએ સ્થાનિકોને ન સાંભળ્યા અને પોતાની કામગીરી ચાલુ રાખી હોવાની ફરિયાદ છે. બીજી તરફ જ્યાં જીઆઈડીસીના અધિકારીઓએ વૃક્ષ બચાવવા અને તેના જાળવણી માટેની કામગીરી કરવી જોઈએ ત્યારે મુશ્કેલીથી ઉચ્છેરવામાં આવેલા વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહી છે. જેના પર તંત્રએ ધ્યાન આપવા સ્થાનિકોની માંગણી રહેલી છે.
અસારવામાં ચમનપુરા વિસ્તારમાં લાંબા સમયથી વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે પરંતુ તેના થડ હાટવવામાં તંત્ર રસ લઈ રહ્યું નથી. જેના કારણે તે વિસ્તારમાં પુષ્કળ ગંદકી થઈ રહી છે. જેના માટે સ્થાનિકોએ ઓનલાઈન ફરિયાદ પણ કરી છતાં પણ બગીચા ખાતા દ્વારા કે સફાઈ ખાતા દ્વારા કોઈ જ કામગીરી કરવામાં ન આવી રહી હોવાનો સ્થાનિકોનો આરોપ છે.
What's Your Reaction?






