Ahmedabad: રથયાત્રાના રૂટના જર્જરિત ભયજનક મકાનો પર AMC અને પોલીસ નજર રાખશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે રથયાત્રાના રૂટ પર રહેલા ભયજનક મકાનો પર મ્યુનિ. દ્વારા નિર્ણય લેવાયો છે.
જેમાં ભયજનક મકાનો પર AMC અને પોલીસના કર્મચારઓ હાજર રહેશે અને તેના સાથે જ લિસ્ટેડ મકાનો પર સ્ટાફ્ મુકવા નિર્ણય કરાયો છે. ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું કે, રથયાત્રાના રૂટ પર રહેલા ભયજનક મકાનો પર કોર્પોરેશન અને પોલીસનો સ્ટાફ્ તૈનાત રહેશે. લિસ્ટેડ મકાનો પર સ્ટાફ્ને મુકવા માટે નિર્ણય લેવાયો છે. રૂટ પરના જર્જરિત મકાનોને કોર્પોરેશન દ્વારા નોટીસ અપાઈ રહી છે. બે વર્ષ અગાઉ દરિયાપુરમાં પહોંચેલી રથયાત્રા દરમિયાન એક મકાનની ગેલેરી પડતા જાનહાનિનો બનાવ બન્યો હતો. જેને લઈને આ વખતે કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે આ નિર્ણય લેવાયો છે. તેમજ ભયજનક મકાનો આગળ લોકો ન રહે તેની પણ કાળજી રાખવામાં આવશે.
What's Your Reaction?






