Ahmedabad: દિલ્હી દરવાજા પાસે અંગત અદાવતમાં છરીથી યુવકને રહેંસી નાખ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના દિલ્હી દરવાજા પાસે યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. અંગત અદાવતમાં શખ્સોએ છરીથી હુમલો કરી હત્યા કરી છે. યુવક પર ક્રુરતા પૂર્વક હુમલો કરી યુવક અને યુવતીએ હત્યા કરી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે. આરોપીઓએ યુવક સાથે ઝઘડો કરી જીવલેણ હુમલો કર્યો હોવનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
દિલ્હી દરવાજા પાસે યુવકની હત્યા
આ ઘટના મામલે પરિવારે માધવપુરા પોલીસ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. દિલ્હી દરવાજા ચાર રસ્તા પાસે આરોપીએ યુવકને છરી મારી લોહીલૂહાણ કરી નાખ્યો હતો. પરિવારે ત્યા પહોંચીને જોયુ તો યુવક લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. બાદમાં યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત થયું હતું.
યુવકે જીવલેણ હુમલો કરી યુવકની હત્યા કરી
યુવકે અને યુવતીએ કરેલી હત્યામાં યુવતીને જોવા બાબતે હુમલો કરવામાં આવ્યો હતો. યુવકે કહ્યું કે તુ કેમ તેને જોતો હતો કહીને ઝઘડો કરવા લાગ્યો હતો. બાદમાં તેમણે છરી વળે જીવલેણ હુમલો કરી યુવકની હત્યા કરી છે. જે મામલે પોલીસે યુવક અને યુવતી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?






