Ahmedabad: ગિરધરનગર બ્રિજ આજથી સંપૂર્ણપણે બંધ રહેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગિરધરનગર બ્રિજ ઉપરથી પસાર થતા ટ્રેકના પિલ્લરો ઉપર સેગમેન્ટ લગાવાશે. આ કામગીરી 20 સપ્ટેમ્બર સુધી ચાલનાર હોવાથી 23 ઓગસ્ટથી આ બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરાશે.
પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર, શાહીબાગ ગિરધરનગર તરફ્થી આવતો ટ્રાફ્કિ ગિરધરનગર સર્કલ, કાલિકા માતાજીના મંદિર થઇ બળિયા લીમડી ચાર રસ્તા થઇ સિવિલ હોસ્પિટલ તેમજ અસારવા મુખ્ય માર્ગ તરફ્ જઇ શકાશે. તેમજ કાલુપુર, પ્રેમ દરવાજા તરફ્ જવા માટે પણ અસારવા બ્રિજનો ઉપયોગ કરી શકાશે. ગિરધરનગર બ્રિજ સંપૂર્ણપણે બંધ રહેશે જેથી વૈકલ્પિક માર્ગ તરીકે કાલુપુર, પ્રેમ દરવાજા તરફ્થી આવતો ટ્રાફ્કિ ઇદગાહ સર્કલ થઇ અસારવા બ્રિજનો ઉપયોગ કરી ડાબી બાજુ થઇ સિવિલ હોસ્પિટલ તરફ્ જઇ શકશે.
What's Your Reaction?






