Ahmedabad: ઉત્તર ઝોનમાં રૂ.1.74 કરોડના ખર્ચે નવી ડ્રેનેજ લાઈન નાખવામાં આવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઉત્તર ઝોનના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની અવરનવર સમસ્યા રહેલી છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તંત્ર દ્વારા મોડે મોડે પગલાં ભરવામાં આવી રહ્યા છે.
આ માટે બાપુનગરમાં આવેલા એમ.ડી મટન થી 137 બસ સ્ટેન્ડ રોડ સુધી હાલમાં રહેલી ડ્રેનેજ લાઈન કાઢીને નવી લાઈન નાખવાની કામગીરી કરવામાં આવશે. આ માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂ.1,74,02,843 નું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે જેના દ્વારા 450 મી.મી અને 600 મી.મી ડાયામીટરની નવી લાઈન નાખીને સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ અને ડ્રેનેજ માટેની રહેલી કાયમી સમસ્યામાંથી લોકોને આંશિક રાહત મળી રહેશે. આ માટે લાંબા સમયથી સ્થાનિકોની માંગણી રહેલી હતી અને લોકોને અવરનવર સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાની ફરિયાદ રહેલી હતી.
What's Your Reaction?






