Ahmedabad: ઉ.ઝોનમાં બાકી ટેક્સની રકમ ન ભરનારની મિલકતો એએમસીએ પોતાની હસ્તક લીધી

Sep 19, 2025 - 07:00
Ahmedabad: ઉ.ઝોનમાં બાકી ટેક્સની રકમ ન ભરનારની મિલકતો એએમસીએ પોતાની હસ્તક લીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરમાં વિવિધ વિસ્તારોમાં બાકી ટેક્સ સામે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જેમાં ઉત્તર ઝોનના નરોડાથી લઈ અનિલ સ્ટાર્ચ અને બાપુનગર જેવા વિસ્તારોમાં ઘણી મિલકતોના ટેક્સ બાકી રહેવા હોવાની લાંબા સમયથી ફરિયાદો સામે આવી રહી છે. આ માટેની કામગીરી કરવામાં આવતાં 1 કરોડથી પણ વધુનો ટેક્સ બાકી હોય તેવી 6 જેટલી મિલકતોની હરાજી કરવામાં આવી હતી.

આ માટેની હરાજીમાં કોઈ પણ ભાગ ન લેવામાં આવતાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સંપ્તિને 1 રૂ.ના ટોકન સાથે પોતાના હસ્તક લઈ લીધી છે. જેના પર આગામી દિવસોમાં AMC એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. તેમજ બાકી ટેક્સ સમયસર ભરપાઈ કરવા માટે અપીલ કરવામાં આવી છે. તેમજ કોઈ પણ કામગીરી કરવામાં ન આવે તો તેના પર હરાજી સુધીની કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે એસ્ટેટ વિભાગ દ્વારા બાકી ટેક્સ માટેની ચોક્કસ કામગીરી કરવામાં આવી રહી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0