Ahmedabad: આરવ જ્વેલર્સમાંથી 70 લાખના સોનાની ચોરી, 3 આરોપી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
અમદાવાદમાં વધુ એક વખત ચોરીની મોટી ઘટના સામે આવી છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા આરવ જવેલર્સના કર્મચારીએ મિત્રો સાથે મળીને આ લાખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. જ્વેલર્સમાં કામ કરતા કર્મચારીએ મિત્રો સાથે મળીને રૂપિયા 70.20 લાખના સોનાની ચોરી કરી છે અને હાલમાં ફરાર થઈ ગયા છે.યશ સોની, હાર્દિક કાનાણી, અમિત ભાલાણી સામે નોંધાઈ ફરિયાદ ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસેને દિવસે ચોરી અને લૂંટફાટની ઘટના વધતી જાય છે. તમને જણાવી દઈએ કે આરવ જવેલર્સમાંથી કર્મચારી અને તેના મિત્રો 900 ગ્રામ સોનુ લઈને ફરાર થઈ ગયા છે. ડિસેમ્બર 2024થી લઈને અત્યાર સુધીમાં આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. હાલમાં નવરંગપુરા પોલીસે 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને યશ સોની, હાર્દિક કાનાની અને અમિત ભાલાણી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસની વધુ તપાસ બાદ જાણી શકાશે કે કેમ દુકાનમાં કામ કરતા કર્મચારીએ જ ચોરીની ઘટનાને અંજામ આપ્યો અને આ સિવાય અન્ય ઘણા મોટા ખુલાસાઓ થશે. બાવળામાં તસ્કરોનો તરખાટ તમને જણાવી દઈએ કે ગઈકાલે પણ અમદાવાદના બાવળામાં તસ્કરો બેફામ બન્યા હતા અને દિકરીના મામેરા માટેના દાગીનાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી. મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. તિજોરીનું લોક તોડી તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યુ હતું. આ મામલે બાવળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ પહેલા પણ અમદાવાદના આનંદનગરમાં શાળામાં ચોરીની ઘટના બની હતી. વિદ્યાનગર શાળામાં રૂપિયા 3.80 લાખની ચોરી થઈ હતી. ઓફિસમાં ઘૂસીને પગાર માટે રાખેલી રોકડની ચોરી કરવામાં આવી હતી.
![Ahmedabad: આરવ જ્વેલર્સમાંથી 70 લાખના સોનાની ચોરી, 3 આરોપી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ](https://epapercdn.sandesh.com/images/2025/02/10/52eTfmIfwR0ydI5HkWHxeGAPN7w3lMsoYbZwF9qf.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં વધુ એક વખત ચોરીની મોટી ઘટના સામે આવી છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા આરવ જવેલર્સના કર્મચારીએ મિત્રો સાથે મળીને આ લાખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. જ્વેલર્સમાં કામ કરતા કર્મચારીએ મિત્રો સાથે મળીને રૂપિયા 70.20 લાખના સોનાની ચોરી કરી છે અને હાલમાં ફરાર થઈ ગયા છે.
યશ સોની, હાર્દિક કાનાણી, અમિત ભાલાણી સામે નોંધાઈ ફરિયાદ
ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસેને દિવસે ચોરી અને લૂંટફાટની ઘટના વધતી જાય છે. તમને જણાવી દઈએ કે આરવ જવેલર્સમાંથી કર્મચારી અને તેના મિત્રો 900 ગ્રામ સોનુ લઈને ફરાર થઈ ગયા છે. ડિસેમ્બર 2024થી લઈને અત્યાર સુધીમાં આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. હાલમાં નવરંગપુરા પોલીસે 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને યશ સોની, હાર્દિક કાનાની અને અમિત ભાલાણી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસની વધુ તપાસ બાદ જાણી શકાશે કે કેમ દુકાનમાં કામ કરતા કર્મચારીએ જ ચોરીની ઘટનાને અંજામ આપ્યો અને આ સિવાય અન્ય ઘણા મોટા ખુલાસાઓ થશે.
બાવળામાં તસ્કરોનો તરખાટ
તમને જણાવી દઈએ કે ગઈકાલે પણ અમદાવાદના બાવળામાં તસ્કરો બેફામ બન્યા હતા અને દિકરીના મામેરા માટેના દાગીનાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી. મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. તિજોરીનું લોક તોડી તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યુ હતું. આ મામલે બાવળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ પહેલા પણ અમદાવાદના આનંદનગરમાં શાળામાં ચોરીની ઘટના બની હતી. વિદ્યાનગર શાળામાં રૂપિયા 3.80 લાખની ચોરી થઈ હતી. ઓફિસમાં ઘૂસીને પગાર માટે રાખેલી રોકડની ચોરી કરવામાં આવી હતી.