Ahmedabad: અસારવામાં આવેલી માતર ભવાનીની વાવ દયનીય સ્થિતિમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પૂર્વ વિસ્તારમાં વિવિધ સ્થાનો પર ઐતિહાસિક સ્મારકો અને સાંસ્કૃતિક ધરોહર આવેલી છે. પરંતુ તેની યોગ્ય રીતે કાળજી ન રખાતા દયનિત સ્થિતિમાં છે.
હાલમાં અસારવા ખાતે આવેલ માતર ભવાની માતાજીની વાવ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે, અને કેટલોક ભાગ ધડી પડે તેવી સ્થિતિમાં છે. આ અંગે સ્થાનિકોની તંત્રને રજૂઆત કરાઈ છે. જેના પર પુરાતત્વ વિભાગ દ્વારા અધિકારીઓને જાણ કરીને માત્ર બોર્ડ લગાવી દેવાયા છે. અનેક ભાગમાં પણ જર્જરિત બાંધકામ જોવા મળી રહ્યું છે. જેના કારણે ત્યાં હજારોની સંખ્યામાં આવતાં લોકોના જીવનું જોખમ રહેલું છે.
આ અંગે રજુઆત કરતાં અસારવા યુથ સર્કલના પ્રમુખે જણાવ્યું કે, શહેરને 2017 માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે માન્યતા પ્રાપ્ત થઈ હતી. જે પછી શહેરમાં આવેલી 22 જેટલી વાવને ભારત સરકારના પુરાતત્વ વિભાગ હેઠળ રક્ષિત સ્મારક તરીકે નોંધાયેલ છે. આ વાવ માટે 2024 માં પુરાતત્વ ખાતાને વાવનું સમારકામ કરવા લેખિતમાં જણાવેલ હતું. પરંતુ તેમના દ્વારા બેરિકેડ થી બાધી દેવામાં આવ્યા છે, અને ખતરા નું બોર્ડ મારીને સંતોષ માની લીધો છે. એટલું જનહીં હવે હાલમાં જ્યાં બોર્ડ લગાવી દીધા છે તેના ઉપરાંતના કેટલાંક ભાગો જર્જરિત બન્યા છે.
સ્મારકનું નિરીક્ષણ કરાયું છે, અને કામગીરી શરૂ કરાશે
વાવનું અગાઉ નિરીક્ષણ કરી જર્જરિત ભાગની પાસે બેરિકેડ અને ભયજનક એવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. હવે જ્યાં નવા ભાગ જર્જરિત થયા છે ત્યાં બોર્ડ મારીને સમાકામ અને પુનઃસ્થાપનની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ માટે સર્કલ ઓફિસ સાથે સંકલન રાખીને કામગીરી કરવામાં આવી રહી છે તેવું પુરાતત્વ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
What's Your Reaction?






