Ahmedabad Plane Crash: બ્રિટને 15 માર્કના આધારે DNA મેચ કર્યા, ગુજરાતમાં DNA મેચ કરવા 23 માર્ક ધ્યાને લેવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા પ્લેન ક્રેશ મામલે મૃતદેહની ઓળખ કરીને તેમના મૃતદેહને પરિજનોને સોંપવામાં આવ્યા હતા. આ ફ્લાઇટમાં વિદેશી નાગરિકો પણ હતા.જેમાંથી બ્રિટનના 2 પીડિત પરિવારે દાવો કર્યો છે કે તેઓને ખોટા મૃતદેહ મળ્યા છે. લંડનમાં ડીએનએ ટેસ્ટ બાદ પરિજનોને આ વાતની ખબર પડી હોવાનો દાવો કર્યો હતો. આ દાવા સામે ખુલાસો કરવામાં આવ્યો છે.
બ્રિટને 15 માર્કના આધારે DNA મેચ કર્યા
આ મુદ્દે વધુ એક ખુલાસો કરાયો છે જેમાં વિમાન દુર્ઘટનામાં કુલ 13 મૃતદેહો બ્રિટન મોકલાયા હતા. આ 12માંથી બે મૃતદેહોના DNA મેચ ન થતા તેને સ્વીકારવા યુકેના પરિવાર ઈનકાર કરી રહ્યાં છે. બ્રિટને 15 માર્કના આધારે મૃતકોના DNA મેચ કર્યા છે. જેથી 15માંથી 2 માર્ક મેચ ન થતા યુકેના પરિવારે આ દાવો કર્યો છે. ગુજરાતમાં DNA મેચ કરવા 23 માર્ક ધ્યાને લેવાયા છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી ગુજરાતમાં DNA મેચ કરવામાં આવ્યાં છે. DNA મેચ કરવા તમામ પ્રોટોકોલ અનુસરાયા છે.
ગુજરાતમાં DNA મેચ કરવા 23 માર્ક ધ્યાને લેવાયા
મીડિયા રિપોર્ટ મુજબ યુકેના પીડિત પરિવારનો આક્ષેપ છે કે અમદાવાદની વિમાન દુર્ઘટનામાં મૃતકોના ડીએનએ યોગ્ય રીતે મેચ કરાયા નથી. જેથી ખોટા મૃતદેહ યુકે પહોંચ્યા છે. આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા જયસ્વાલનું નિવેદન સામે આવ્યું છે. તેઓનું કહેવુ છે કે અમે બ્રિટિશ અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમદાવાદમાં થયેલી આ ઘટનામાં સંબંધિત અધિકારીઓએ પ્રોટોકોલ અને ટેકનિકલ જરૂરિયાતો મુજબ પીડિતોની ઓળખ કરી હતી. તમામ મૃતદેહને મૃતકની ગરિમાનું ધ્યાન રાખીને સંભાળવામાં આવ્યો. આ અંગે કોઇ પણ ચિંતાનું સમાધાન કરવા માટે અમે બ્રિટિશ પક્ષ સાથે મળીને કામ કરી રહ્યા છીએ.
What's Your Reaction?






