Ahmedabad plane crash: BJ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ વતન પહોંચ્યા, માતા-પિતા થયા ભાવુક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુઘટના બાદ રાજ્યમાં શોકનો માહોલ છે. તો બી.જે.મેડિકલ કોલેજના વિધાર્થીઓમાં ભય જોવા મળી રહ્યો છે. આ ડરના માહોલમાંથી બહાર નિકળવા માટે તેઓ પોતાના વતન પરત ફર્યા છે. દાહોદના કેટલાક વિદ્યાર્થીઓ ફરી તેમના ઘરે આવ્યા છે. અને માતા-પિતાને મળ્યા છે. ઘરે આવેલા પોતાના બાળકને હેમખેમ જોઇ માતા-પિતા ભાવુક થયા હતા. 8 વિધાર્થીઓ બસ દ્વારા દાહોદ પહોંચ્યા હતા.
હોસ્ટેલ સાથે અથડાયુ વિમાન
એર ઇન્ડિયાની ફ્લાઇટ જ્યારે ટેક ઓફ કરી રહી હતી તેના ગણગરીના ક્ષણોમાં જ તે દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. અને સવાર તમામ યાત્રીઓ પૈકી માત્ર એકનો જ જીવ બચ્યો હતો. આ પ્લેન મેડિકલ કોલેજના મેસ સાથે અથડાયુ હતુ. અને ત્યાં 20 જેટલા વિદ્યાર્થીઓ મોતને ભેટ્યાં હતા. જે વિદ્યાર્થીઓ જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. તેઓ પોતાની સાથી મિત્રોને શોધી રહ્યા છે. તો કેટલાક વિદ્યાર્થીઓ પોતાના વતન પહોંચ્યા છે. BJ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પૈકી દાહોદના MBBSના 8 વિદ્યાર્થીઓ વતન પહોંચ્યા છે. અને વાલીઓ પોતાના પુત્રને મળીને ભાવુક જોવા મળ્યા હતા.
હોસ્ટેલમાં ડરનો માહોલ
વિધાર્થી જમ્યા બાદ રૂમ પર આવ્યા બાદ ઘટના બનતા તેમનો આબાદ બચાવ થયો હતો. ઘાયલ વિધાર્થીઓની મદદ કરવા માટે અન્ય મિત્રો તેમની પાસે પહોંચ્યા હતા. હૉસ્ટેલ તથા મેસની હાલત ખંડેર જેવી થઇ છે. અહીં જે રીતે પ્લેન આવ્યુ હતુ તેને જોતા દ્રશ્ય મોતના મોઢામાંથી પર આવેલા સમાન છે. કેટલાક લોકો જીવ બચાવવા માટે ઇમારત પરથી કુદી પડ્યા હતા. તો કટેલાક ત્યાંથી નાસી છુટ્યાં હતા.
What's Your Reaction?






