Ahmedabad Plane Crash : પીએમ મોદીએ ભયાનક અકસ્માતને લઈને દુઃખ વ્યક્ત કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન અકસ્માતમાં ઘણા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તેઓ જે અપાર દુઃખ અને નુકસાન સહન કરી રહ્યા છે તે સ્વીકાર્યું. પીએમમોદીએ આજે પહેલા અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું તે અકસ્માત સ્થળની મુલાકાત લીધી અને પરિસ્થિતિનું પ્રત્યક્ષ મૂલ્યાંકન કર્યું હતું.
પીએમ મોદીએ અકસ્માત સ્થળની મુલાકાત સાથે આપત્તિ પછી અથાક કામ કરી રહેલા અધિકારીઓ અને ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ સાથે પણ સ્થિતિ અંગે વાતચીત કરી. જેના બાદ તેઓ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને ઇજાગ્રસ્તોની મુલાકાત લીધા બાદ દિલ્હી પરત ફર્યા.
અકસ્માતથી આપણે બધા આઘાતમાં
દરમિયાન પોતાના X પર અલગ અલગ પોસ્ટ્સમાં, પીએમ મોદીએ કહ્યું: "અમદાવાદમાં થયેલા વિમાન અકસ્માતથી આપણે બધા આઘાત પામ્યા છીએ. આટલા બધા લોકોના અચાનક અને હૃદયદ્રાવક નુકસાનનું શબ્દોમાં વર્ણન કરી શકાતું નથી. બધા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. અમે તેમનું દુઃખ સમજીએ છીએ અને એ પણ જાણીએ છીએ કે પાછળ રહેલો ખાલીપો આવનારા વર્ષો સુધી અનુભવાશે. ઓમ શાંતિ."
વિનાશનું દ્રશ્ય દુ:ખદ
"આજે અમદાવાદમાં અકસ્માત સ્થળની મુલાકાત લીધી. વિનાશનું દ્રશ્ય દુ:ખદ છે. ઘટના પછી અથાક મહેનત કરી રહેલા અધિકારીઓ અને ટીમને મળ્યો. આ અકલ્પનીય દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમની સાથે મારી સંવેદનાઓ છે." જણાવી દઈએ કે અમદાવાદમાં ગુરુવારના રોજ પ્લેન ક્રેશ થયાની ગોઝારી દુર્ઘટના બની. એરઇન્ડિયાનું પ્લેન અમદાવાદથી લંડન જવા ટેક ઓફ કરતું હતું ત્યારે 2 જ મિનિટમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. ગુરુવારે 12 જૂનનો દિવસ અમદાવાદ માટે કાળ બન્યો. પ્લેન દુર્ઘટનામાં 265 લોકોનો મોત થયા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 જૂનના રોજ અમદાવાદ મુલાકાત લીધી હતી.
What's Your Reaction?






