Ahmedabad Plan Crash: ઈજાગ્રસ્તો માટે આ જગ્યાએ લોકો બ્લડ ડોનેટ કરી શકશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. આ ઘટના એટલી ખતરનાક હતી કે, ઈજાગ્રસ્ત થયેલા લોકો કેવી હાલતમાં હતા તેના દ્રશ્યો જોતાં જ રૂંવાડા ઉભા થઈ જાય છે. આ ઈજાગ્રસ્ત મુસાફરોની સારવાર માટે હાલમાં બ્લડની ઈમર્જન્સીમાં જરૂર પડી રહી છે. ત્યારે બ્લડની જરૂરિયાત પૂરી કરવા માટે કેટલાક સંપર્કો જાહેર કરવામાં આવ્યાં છે.
લોકો ક્યાં બ્લડ આપી શકશે તેની માહિતી જાહેર કરાઈ
વિમાન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને બ્લડની જરૂર હોવાથી લોકો ક્યાં બ્લડ આપી શકશે તેની માહિતી જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં બ્લડ ડોનેશન માટે કેટલાક સેન્ટરો પણ શરૂ કરવામાં આવ્યાં છે. જેમાં સિવિલ હોસ્પિટલમા જ કેટલાક સેન્ટરો શરૂ કરાયા છે. બ્લડ ડોનેશન કરવા ઈચ્છતા લોકોએ નીચે આપેલા સેન્ટરો પર જઈને બ્લડ ડોનેટ કરી શકે છે.
બ્લડ ડોનેશન સેન્ટર
1. યુ.એન. મહેતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર
A બ્લોક પહેલા માળે રૂમ નં.110
સંપર્ક નંબરઃ 9316732524
2. સિવિલ હોસ્પિટલ IHBT ડિપાર્ટમેન્ટ
બીજો માળ, 1200 બેડ સિવિલ હોસ્પિટલ
સંપર્ક નંબર: 9428265409
3 IKDRC બ્લડ સેન્ટર
IKDRC હોસ્પિટલ, પહેલો માળ
મંજુશ્રી મીલ રોડ, ભાલિયા લીમડી
સંપર્ક નંબર: 07922687500
4 GCRI બ્લડ સેન્ટર
પહેલો માળ, ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યૂટ
સંપર્ક નંબર: 07922688026
What's Your Reaction?






