Ahmedabad News : સારંગપુરમાં જર્જરિત ટાંકીમાંથી પાણીનો સપ્લાય બંધ કરાતા લોકો પરેશાન

Jul 25, 2025 - 21:30
Ahmedabad News : સારંગપુરમાં જર્જરિત ટાંકીમાંથી પાણીનો સપ્લાય બંધ કરાતા લોકો પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરના સારંગપુર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિક રહીશોની સુરક્ષા અને પાણી પુરવઠાની સલામતીને ધ્યનમાં રાખીને તંત્ર દ્વારા ટાંકીને પાણીનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે સારંગપુર વિસ્તારના લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.

છેલ્લા 5 દિવસમાં 350 ટેન્કરથી પાણી અપાયું

જર્જરિત ટાંકીમાંથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્રએ સાવચેતીના ભાગરૂપે ટાંકીને નિષ્ક્રિય કરી દીધી છે. હાલ સારંગપુર વિસ્તારમાં પંપ લગાવીને નીચેની લાઈનથી સીધો પાણીનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, જ્યાં પાણીનો પૂરતો પ્રેશર ન પહોંચતા હોય તેવા વિસ્તારોમાં લોકોને હાલાકી ન પડે તે માટે ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં જ તંત્ર દ્વારા આશરે 350 ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવ્યું છે.

ટૂંક સમયમાં નવી ટાંકી બનાવવાની કામગીરી કરાશે

સારંગપુરની આ જર્જરિત ટાંકીની સ્થિતિ અંગે લાંબા સમયથી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. હવે તંત્ર દ્વારા આ સમસ્યાના કાયમી નિવારણ માટે પગલાં લેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટૂંક સમયમાં જ સારંગપુરમાં નવી પાણીની ટાંકી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. નવી ટાંકીનું નિર્માણ થયા બાદ આ વિસ્તારમાં પાણી પુરવઠાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને લોકોને પૂરતા પરેશાન સાથે નિયમિત પાણી મળી રહેશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0