Ahmedabad News: શહેરમાં ટ્રાફિક અવેરનેસ માટે NGOએ પોસ્ટરો લગાવ્યા, પોસ્ટરોનું અર્થઘટન ખોટી રીતે થતા હટાવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં પોસ્ટર વિવાદ બાદ પર ટ્રાફિક DCPનું નિવેદન સામે આવ્યું છે. ટ્રાફિક અવેરનેસ માટે NGOએ પોસ્ટરો લગાવ્યા હતા. પોસ્ટરો વિવાદિત હોવાનું ધ્યાને આવતા હટાવાયા છે. એનજીઓને કડક શબ્દોમાં સૂચના અપાઇ છે. વિવાદિત પોસ્ટર ન લગાવવા સૂચના અપાઇ છે. પોસ્ટરોનું અર્થઘટન ખોટી રીતે થતા હટાવાયા છે.
અમદાવાદમાં પોસ્ટર વિવાદ
સાયન્સ સિટી, ડમરુ સર્કલે લગાવેલા પોસ્ટર હટાવાયા છે.એસજી હાઈવે પાસે લગાવેલા પોસ્ટરો પણ હટાવાયા છે. ટ્રાફિક વિભાગ ને ટ્રાફિક અવેરનેસ ફેલાવવા માટે સતર્કતા એનજીઓ દ્વારા અમદાવાદ શહેરમાં અલગ અલગ પોસ્ટરો લગાવ્યા હતા. ટ્રાફિક અવેરનેસને લગતા પોસ્ટરો લગાવે છે વિવાદિત પોસ્ટરો લાગ્યા હોવાનું ધ્યાને આવતા પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા છે.
પોસ્ટર વિવાદ થતા હટાવાયા
સતર્કતા એનજીઓને કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે કે આવા કોઈ પણ પોસ્ટર લગાવવા નહીં ઉપરાંત પોલીસ અધિકારીઓની મંજૂરી વિના અને લખાણ બતાવ્યા વિના કોઈ પણ પ્રકારના પોસ્ટર લગાવવા નહીં. વિવાદીત પોસ્ટરોનું અર્થઘટન ખોટી રીતે થતું હતું માટે આ પોસ્ટર હટાવી લેવામાં આવ્યા છે. સાયન્સ સિટી, ડમરુ સર્કલ, એસજી હાઈવે પાસે પોસ્ટર લગાવ્યા હતા તે હટાવી લીધા છે.
What's Your Reaction?






