Ahmedabad News: કોરોનાની સાથે રોગચાળાએ મૂકી માઝા, શહેરીજનોને સતર્ક રહેવા ડોકટરની અપીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં એક તરફ કોરોના પોતાનો પગ પેસારો કરી રહ્યો છે. ત્યારે આ તરફ, કોવિડ સહિત અન્ય રોગોના કેસોએ માઝા મુકી છે. આ વધારાના કારણે ચિંતાનો માહોલ સર્જાયો છે. અન્ય રોગોના કેસથી દવાખાના અને હૉસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. સરકારે એક તરફ કોરોના માટે ગાઇડ લાઇન બહાર પાડી છે. તો બીજી તરફ અન્ય રોગો સામે રક્ષણ મેળવવા માટે તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યુ છે.
કોરોનાના વધતા કેસ
અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં કોવિડના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે એક્ટીવ કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જ્યાં છેલ્લા 24 કલાકમાં 119થી વધુ કેસ નોંધાયા છે. તો હોમ આઇસોલેશનની દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જ્યાં કોવિડથી બચવા માટે સરકાર પ્રજાને સાવચેત રહેવા અપીલ કરી રહી છે. તો બીજી તરફ, દર્દીઓ અને તેમના પરિવારજનો કોરોના સામે લડવા ગાઇડલાઇનનું પાલન કરી રહ્યા છે.
કોરોના સાથે રોગચાળો વકર્યો
અમદાવાદમાં કોરોના સાથે રોગચાળો વકરતા તંત્ર સતર્ક થયુ છે. સોલા સિવિલમાં અઠવાડિયામાં 12,080 OPD કેસ નોંધવામાં આવ્યા છે. તો વાયરલ ઈન્ફેકશનના 12 દર્દી સારવાર હેઠળ છે. તો આ તરફ, ડેન્ગ્યુ, ઝાડા, ઉલ્ટીના 10થી વધુ કેસ નોંધાતા ચિંતાનો માહોલ સર્જાયો છે. સોલા સિવિલમાં કોરોનાના 2 દર્દી દાખલ કરવામાં આવ્યા છે. એક 70 વર્ષીય મહિલા અને બીજું 2 વર્ષનું બાળક કોરોના પોઝીટીવ આવતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સોલા સિવિલમાં કુલ 13 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે. તો મહિલા દર્દીએ તબીબની સલાહ વિરુદ્ધ ડિસ્ચાર્જ અપાતા તંગદીલીનો માહોલ સર્જાયો હતો.
What's Your Reaction?






