Ahmedabad: સ્વામિત્વ કાર્ડ યોજના: 50 હજાર ગામના 65 લાખ લોકોને કાર્ડનું વિતરણ

Jan 18, 2025 - 13:00
Ahmedabad: સ્વામિત્વ કાર્ડ યોજના: 50 હજાર ગામના 65 લાખ લોકોને કાર્ડનું વિતરણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના સાયન્સ સિટી ખાતે સ્વામિત્વ યોજના હેઠળ કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમાં કેન્દ્રીયમંત્રી જે.પી.નડ્ડાએ સંબોધન કરતાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના માણસોની ચિંતા કરી છે.

પ્રોપર્ટી કાર્ડનું વિતરણ 

સ્વામિત્વ કાર્ડ યોજના લાભાર્થીઓને સુવિધા સાથે અધિકાર પણ આપશે. સ્વામિત્વ કાર્ડ યોજના હેઠળ કાર્ડ લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરાશે. 50 હજાર ગામોમાં 65 લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું. ગુજરાતમાં 12 લાખથી વધુ પ્રોપર્ટી કાડ તૈયાર થયા.20 જિલ્લાના 64029 લોકોને સ્વામિત્વ કાર્ડ આપવામાં આવશે.ગુજરાત સ્વામિત્વ કાર્ડની કામગીરીમાં દેશમાં બીજા ક્રમે છે. રાષ્ટ્રીય સ્તરે પણ આ યોજનાનો સમાવેશ કરાશે.

પીએમ મોદીએ હંમેશા ગરિબોની ચિંતા કરી

વધુમાં જે.પી.નડ્ડાએ પોતાના સંબોધન માહિતી આપતાં જણાવ્યું કે પીએમ મોદીએ હંમેશા ગરિબોની ચિંતા કરી છે. PMના નેતૃત્વમાં સામાન્ય માણસનો પણ વિકાસ થયો. કોઈપણ સરકારી યોજનામાં તમામ લોકો કેન્દ્ર સ્થાને હોય છે. ગામડાઓ સુધી સરકારે યોજના પંહોચાડી છે. સંપત્તિનો રેકોર્ડ હોય તો જ સંપત્તિ પર અધિકાર કરી શકાશે તેમ જે.પી.નડ્ડાએ જણાવ્યું.ટેકનોલોજીનો ઉપયોગ જનહિતના કામોમાં કરાયો છે.

સાયન્સ સિટી ખાતે યોજાયેલ સ્વામિત્વ યોજના કાર્ડ વિતરણના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0