Ahmedabad: ચંડોળા ડિમોલિશનના કાટમાળમાંથી ફૂટપાથ માટેના બ્લોક તૈયાર કરાશે

Jun 7, 2025 - 23:00
Ahmedabad: ચંડોળા ડિમોલિશનના કાટમાળમાંથી ફૂટપાથ માટેના બ્લોક તૈયાર કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના ચંડોળામાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.આ કાર્યવાહી દરમિયાન હજારો ઝૂંપડા અને કાચા પાકા મકાનો તોડી નાંખવામાં આવ્યા હતાં. ચંડોળામાં જે ડિમોલિશન થયું છે તેના કાટમાળનો મહાનગર પાલિકા દ્વારા સદુપયોગ કરવામાં આવશે. જે કાટમાળ એકત્ર થયો છે તેમાંથી ફૂટપાથ માટેના બ્લોક બનાવવામાં આવશે. આ માટે મહાનગર પાલિકા દ્વારા એક ખાનગી એજન્સી સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવશે.

CNCD વિભાગ દ્વારા એક ખાનગી એજન્સી સાથે કોન્ટ્રાક્ટ

અમદાવાદ મહાનગર પાલિકાના CNCD વિભાગ દ્વારા એક ખાનગી એજન્સી સાથે કોન્ટ્રાક્ટ કરી તેને આ કાટમાળ આપવામાં આવશે. જ્યારે તળાવ ડેવલોપ થશે ત્યારે ત્યાં જરૂર મુજબના પેવર બ્લોકનો ઉપયોગ કરવામાં આવશે. આ સિવાયના બ્લોકમાંથી રોયલ્ટીની આવક મેળવાશે. ચંડોળામાંથી દબાણો તોડીને તળાવને ઉંડુ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

તળાવની માટીનો પ્લાન્ટેશનમાં ઉપયોગ કરાશે

આ તળાવમાંથી જે માટી નીકળશે તેનો આગામી સમયમાં ગાર્ડન વિભાગ દ્વારા પ્લાન્ટેશનના કામમાં ઉપયોગ કરવામાં આવશે. ચંડોળા તળાવમાંથી હાલમાં દરરોજ આશરે 4 હજાર મેટ્રિક ટન માટીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ચંડોળા તળાવની માટી અને કાટમાળનો સદુપયોગ કરીને તેને ફરીવાર ડેવલોપમેન્ટ વર્કમા ઉપયોગમાં લેવાશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0