Ahmedabad: અમિત શાહે જય શાહને કહ્યું કે, તારે નવી નવાઈનો દિકરો છે!

Jan 15, 2025 - 13:30
Ahmedabad: અમિત શાહે જય શાહને કહ્યું કે, તારે નવી નવાઈનો દિકરો છે!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દર વર્ષની જે આ વર્ષે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાયણની ઉજવણી અમદાવાદ ખાતે કરી હતી. ત્યારે આજે એટલે કે 15 જાન્યુઆરીના રોજ ગુજરાત પ્રવાસનો બીજો દિવસે ગાંધીનગર જિલ્લાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની સાથે વિકાસલક્ષી ભેટ આપી રહ્યા છે. તેવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને તેમનો પરિવારે જગન્નાથ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને તેમનો પરિવારના સભ્યોએ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. અમિત શાહે મંદિરમાં ગાયનું પૂજન પણ કર્યું હતું. તેવામાં ગાયનું પૂજન દરમિયાન અમિત શાહે જય શાહને કહ્યું કે, તારે નવી નવાઈનો દિકરો છે! આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 

પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મકરસંક્રાંતિના પાવન દિવસે રાજ્યમાં શહેર પોલીસ તંત્રની અતિ આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઈન તથા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરીને મોટી ભેટ આપી હતી. આ ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ પ્રોત્સાહક બની રહી હતી. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશન બિલ્ડિંગ અને 920 પોલીસ પરિવાર માટેના 13 માળના 18 બ્લોક્સનું નિર્માણ કરવામાં આવશે.

અમિત શાહના હસ્તે ઓડિટોરિયમનું ખાતમુહૂર્ત કરશે

કલોલમાં નવનિર્મિત ઓડિટોરિયમનું લોકાર્પણ તથા નવીન કામોનું ખાતમુહૂર્ત અમિત શાહના હસ્તે કરવામાં આવનાર છે. બીજી તરફ કલોલ પાસે સૈજ ગામને જોડતા રેલવે અંડરબ્રિજનું લોકાર્પણ કરશે અને શેલ્બિ હોસ્પિટલ દ્વારા તૈયાર થયેલી બોન બેંકનું લોકાર્પણ આજના દિવસે અમિત શાહ કરનાર છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0