Ahmedabadમા તૂટેલા રોડ-રસ્તાની કામગીરી કરાઈ શરૂ, ગુજરાત હાઈકોર્ટે તંત્રનો લીધો હતો ઉધડો

દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે તેની વચ્ચે અમદાવાદમાં તૂટેલા રોડને રિસરફેસ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.પંચવટીથી ગુલબાઈ ટેકરા તરફ જવાના માર્ગ પર આ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી છે.ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર હરકતમાં આવ્યું છે,ત્યારે અગામી સમયમાં હજી પણ અન્ય જગ્યાઓ પર રસ્તાની કામગીરી કરવામાં આવશે.રસ્તાની કામગીરી શરૂ અમદાવાદ શહેરમાં એએમસી તંત્ર દ્રારા રસ્તાની રિસરફેશ કામગીરી શરૂ કરવામાં આવી છે,નવરાત્રિ બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી છે,ત્યારે પંચવટીથી ગુલબાઈ ટેકરા તરફના રોડ પર આ કામગીરી કરવામાં આવી છે,નવા રસ્તાથી શહેરીજનોને હવે રાહત થશે,સાથે સાથે ગુજરાત હાઈકોર્ટે પણ ટકોર કરી હતી કે રોડ રસ્તાનુ કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે, નોંધનીય છે કે હાઇકોર્ટની ફટકાર બાદ તંત્રે મજબૂત રોડ બનાવવાની કોર્ટમાં બાંહેધરી આપી હતી પરંતુ અહીંયા તો રોડ પર થિંગડા મારીને કામ કર્યાનો તંત્રે સંતોષ માન્યો છે જે આગામી ગણતરીના દિવસોમાં જ રોડ તૂટે તો નવાઈ નહીં. પૂર્વ વિસ્તારમાં પણ રોડની કામગીરી કરાઈ રાજ્યમાં પડેલા ભારે વરસાદ બાર ઠેર-ઠેર રોડ રસ્તા તૂટી ગયા અને મોટા ખાડા પડ્યા છે. રોડ પર પડેલા ખાડાના કારણે વાહનચાલકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં યુદ્ધના ધોરણે રોડ રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના હોટ મિક્સ પ્લાન્ટમાંથી ડામરનો ઉપયોગ કરી રોડ રસ્તા સરખા કરવામાં આવી રહ્યા છે. 1470 કરોડ રોડ માટે ફાળવ્યા મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્‍ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે. ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.  

Ahmedabadમા તૂટેલા રોડ-રસ્તાની કામગીરી કરાઈ શરૂ, ગુજરાત હાઈકોર્ટે તંત્રનો લીધો હતો ઉધડો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે તેની વચ્ચે અમદાવાદમાં તૂટેલા રોડને રિસરફેસ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.પંચવટીથી ગુલબાઈ ટેકરા તરફ જવાના માર્ગ પર આ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી છે.ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર હરકતમાં આવ્યું છે,ત્યારે અગામી સમયમાં હજી પણ અન્ય જગ્યાઓ પર રસ્તાની કામગીરી કરવામાં આવશે.

રસ્તાની કામગીરી શરૂ
અમદાવાદ શહેરમાં એએમસી તંત્ર દ્રારા રસ્તાની રિસરફેશ કામગીરી શરૂ કરવામાં આવી છે,નવરાત્રિ બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી છે,ત્યારે પંચવટીથી ગુલબાઈ ટેકરા તરફના રોડ પર આ કામગીરી કરવામાં આવી છે,નવા રસ્તાથી શહેરીજનોને હવે રાહત થશે,સાથે સાથે ગુજરાત હાઈકોર્ટે પણ ટકોર કરી હતી કે રોડ રસ્તાનુ કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે, નોંધનીય છે કે હાઇકોર્ટની ફટકાર બાદ તંત્રે મજબૂત રોડ બનાવવાની કોર્ટમાં બાંહેધરી આપી હતી પરંતુ અહીંયા તો રોડ પર થિંગડા મારીને કામ કર્યાનો તંત્રે સંતોષ માન્યો છે જે આગામી ગણતરીના દિવસોમાં જ રોડ તૂટે તો નવાઈ નહીં.

પૂર્વ વિસ્તારમાં પણ રોડની કામગીરી કરાઈ
રાજ્યમાં પડેલા ભારે વરસાદ બાર ઠેર-ઠેર રોડ રસ્તા તૂટી ગયા અને મોટા ખાડા પડ્યા છે. રોડ પર પડેલા ખાડાના કારણે વાહનચાલકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં યુદ્ધના ધોરણે રોડ રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના હોટ મિક્સ પ્લાન્ટમાંથી ડામરનો ઉપયોગ કરી રોડ રસ્તા સરખા કરવામાં આવી રહ્યા છે.

1470 કરોડ રોડ માટે ફાળવ્યા
મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્‍ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે.

ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે
ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.