Ahmedabadના સાયન્સ સિટી રોડ પર આસામાજિક તત્વોનો આતંક, જ્વેલર્સની ઓફિસમાં ઘૂસીને બિલ્ડર પર કર્યો જીવલેણ હુમલો

Aug 13, 2025 - 02:00
Ahmedabadના સાયન્સ સિટી રોડ પર આસામાજિક તત્વોનો આતંક, જ્વેલર્સની ઓફિસમાં ઘૂસીને બિલ્ડર પર કર્યો જીવલેણ હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો. જ્યાં 7 થી 8 જેટલા હુમલાખોરોએ અહીં આવેલા વ્રજ જ્વેલર્સની ઓફિસમાં ઘૂસીને બિલ્ડર કેતન પટેલ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં જ્વેલર્સના માલિક સંજય સોની પાસેથી ખંડણી માગવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સાંજે 5 વાગ્યાના અસપાસામાં બની હતી અને તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.

સાયન્સ સીટી રોડ પર વ્રજ જ્વેલર્સની ઓફિસમાં હુમલો

વ્રજ જ્વેલર્સની ઓફિસમાં વિક્રમ રબારી અને તેના સાગરીતોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે 7 થી 8 જેટલા શખ્સો એક સાથે ઓફિસમાં ઘૂસી આવ્યા હતા અને તેમણે બિલ્ડર કેતન પટેલ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તેમને માર મારવાનું શરૂ કર્યું હતું અને સાથે સાથે જ્વેલર્સના માલિક સંજય સોની પાસેથી ખંડણીની પણ માગણી કરી હતી. આ ઘટનાથી ઓફિસમાં હાજર અન્ય લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટના બાદ ભોગ બનનારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પ્રયાસ કર્યો હતો.

મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

જોકે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પોલીસે શરૂઆતમાં ફરિયાદ લેવાની ના પાડી હતી. આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવતા આખરે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોને ઓળખીને તેમને પકડવા માટેના પ્રયાસો કરી રહી છે. શહેરના એક વ્યસ્ત વિસ્તારમાં અને દિવસના સમયે આ પ્રકારની ઘટના બનતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઉઠ્યા હતા. આ ઘટનાથી વેપારીઓમાં ભયનો માહોલ છવાયો છે અને તેઓ પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0