અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ ‘’લક્ષ્મણ દાદા નું ઘર” બાળકોના અભ્યાસ માટે સપનાનું ઘર બન્યું છે. અમદાવાદમાં વિદ્યાપીઠ સાથે જોડાયેલા લક્ષમણ દાદા દ્વારા સ્થાપેલ શૈક્ષણિક સંસ્થા હાલ બાળકો માટે અંધારામાં દિવા સમાન છે, બાળપણમાં લક્ષમણ દાદા ભણવામાં ખુબ હોશિયાર હતા પણ તેમની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી.
પત્ની અને તેમના દીકરો સંભાળે છે બાળકોને
તેમણે મોટા થઇ શિક્ષક બનવું હતું પણ જયારે તેમણે PTC કરવાનું નક્કી કર્યું ત્યારે તેમની પાસે ફી ભરવાની કોઈ વ્યવસ્થા જ ન હતી. લક્ષમણ દાદા ખુબ ચિંતામાં મુકાયા, એવા સમયે PTC કોલેજના પ્રિન્સિપલે તેમની મદદ કરી અને ફી ભરી તેમને ભણાવ્યા. એ સમયે લક્ષમણ દાદાએ વિચાર કર્યો કે તેઓ પણ પોતાના ખર્ચે બાળકોને ભણાવશે અને આજે લક્ષમણ દાદાના અવસાન બાદ તેમને શરુ કરેલી પહેલની દોર તેમની પત્ની અને તેમના દીકરાએ સાંભળી રાખી છે.
સ્કૂલ બેગ અને સ્ટેશનરી કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું
તેમની પત્ની અમદાવાદમાં સરસ્વતી મંદિર તો અરવલ્લીના મેઘરજમાં દર્શનભાઈ બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. દર્શન ભાઈ સાથે રહેતા બાળકો તેઓ જ્યાં જ્યાં જાય તેમની સાથે જ 24*7 રહે છે, સાથે જ દર્શન ભાઈ દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓની મદદથી અન્ય બાળકોને પણ મદદ કરે છે, સ્કૂલો શરૂ થવાની છે તે પૂર્વે તેમના દ્વારા જરૂરતમંદ બાળકોને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું.
ગરીબ બાળકોને સ્કૂલ કિટનું વિતરણ
સમગ્ર અમદાવાદમાંથી 50 જેટલા જરૂરતમંદ બાળકોને સ્કૂલ બેગ અને સ્ટેશનરી કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. આ કીટ એવા બાળકોને આપવામાં આવી જે બાળકો ભણવા હોશિયાર તો છે પરંતુ તેમના માતા પિતાની આર્થિક સ્થિતિ સારી નથી કે તેઓ બાળક માટે સારી કંપનીના સ્કૂલ બેગ અને સારી સ્ટેશનરી આપવી શકે તેવા વિદ્યાર્થીઓને આજે આ સ્કૂલ કીટ આપવામાં આવી. આ સંસ્થા દ્વારા આજ પ્રકારે જ્યાં સુધી શાળાઓ નહીં ખુલે ત્યાં સુધી 15 - 15 દિવસે આ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવશે.