2700 શિક્ષકોની ઘટ ધરાવતા દાહોદ જિલ્લામાં બનાવાશે 100 લાઈબ્રેરી, શિક્ષણની ખામી પૂરવાનો પ્રયાસ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Dahod News : ગુજરાતમાં 2700 જેટલા શિક્ષકોની ઘટ ધરાવતાં દાહોદ જિલ્લામાં શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા પંચાયત દ્વારા મહત્ત્વની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં જિલ્લા પંચાયત કચેરી દાહોદથી તમામ તાલુકા વિકાસ અધિકારીઓને એક પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં દરેક ગામડે આધુનિક લાયબ્રેરી બનાવવા માટે જમીન માહિતી માંગવામાં આવી છે.
100 લાઇબ્રેરી બનાવાશે
આદિવાસી વસ્તી ધરાવતાં દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતમાં લાયબ્રેરી સ્થાપિત કરવા માટે 200 ચોરસ ફૂટ સરકારી પડતર અથવા ગામતળની જમીનની માહિતી મોકલવા કહ્યું છે.
What's Your Reaction?






