સંતરામપુરથી અમદાવાદ જતી ST બસના 'દારૂડિયા' ડ્રાઈવરે સ્પીડ બ્રેકર કુદાવ્યો, મુસાફરોને થઈ નાની-મોટી ઈજાઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Mahisagar News : ગુજરાતમાં ખાલી નામની જ દારૂબંધી હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે મહીસાગરમાં ST બસના 'દારૂડિયા' ડ્રાઈવરે બાલાસિનોર નગરના પ્રવેશ દ્વાર પર બ્રેક ન મારીને બે સ્પીડ બ્રેકર કુદાવ્યા હતા. સંતરામપુરથી અમદાવાદ જતી ST બસના ડ્રાઈવરે સ્પીડ બ્રેકર કુદાડવાની ઘટનામાં પાંચ મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવારે અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ST બસ ચાલકે બે સ્પીડ બ્રેકર કુદાવ્યા
મળતી માહિતી મુજબ, સંતરામપુરથી અમદાવાદ જતી ST બસ ચાલકની બેદરકારીના કારણે મોટી દુર્ઘટના થતી રહી ગઈ હતી. જેમાં મહીસાગરના બાલાસિનોર નગરના પ્રવેશ દ્વાર પાસે ST બસ ચાલકે બે સ્પીડ બ્રેકર કુદાવી દીધા હતા.
What's Your Reaction?






