વડોદરા બન્યું શોકમગ્ન : વધુ 8 પ્રવાસીઓના પાર્થિવદેહો પરિવારોને સોપાતા સ્વજનોના હૈયાફાટ કલ્પાંત સાથે અર્થીઓ ઊઠી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદની અત્યંત કરુણ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વડોદરાના વધુ 8 પ્રવાસીઓના પાર્થિવદેહો પરિવારોને સોપાતા સ્વજનોના હૈયાફાટ કલ્પાંત સાથે અર્થીઓ ઊઠી હતી. સ્વજનોની ભીની આંખો વચ્ચે અંતિમક્રિયા થતા પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થયા હતા. ગઈકાલે રવિવારે પાંચ પ્રવાસીઓના મૃતદેહો પરિવારને સોંપાયા હતા.
ગઈ તા.12 જૂનના રોજ અમદાવાદ ખાતે સર્જાયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે. પ્લેન ક્રેશ થઈ આગની જ્વાળાઓમાં લપેટાઈ જતા મૃતકોની ઓળખ છતી કરવા પરિવારજનોના ડીએનએ સેમ્પલ મેચ કરવામાં આવી રહ્યા છે. ડીએનએ મેચ થતા મૃતકોના પાર્થિવદેહ પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે.
What's Your Reaction?






