વડોદરા ગેસની લાઈન નાખવાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીથી ડ્રેનેજ લાઈન તૂટી : લોકો પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara : રાવપુરા મેઇન રોડ હનુમાનજી મંદિર સામે થોડા દિવસ પહેલા ગેસની પ્રેસર લઈને નાખવાની કામગીરી દરમિયાન ડ્રેનેજની લાઈન કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીથી તોડી નાખવામાં આવી હતી. જેને કારણે સમારકામ કરવામાં આવ્યું નથી અને હજી ખાડા ખોદેલા રાખ્યા છે અને ડ્રેનેજ ઉભરાવવાની ફરિયાદો વધી છે. જેથી સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપ્યો છે.
વોર્ડ નં 14 માં રાવપુરા મેનરોડ હનુમાનજીના મંદિર સામે જે હાલમાં ગેસની પ્રેસર લાઈન નાખવાની કામગીરી કરવામાં આવે છે. જે કોન્ટ્રાકટર દ્વારા રોડમાં ડ્રીલીગ કરતી વખતે ડ્રેનેજની મેન લાઈન તોડી નાખવામાં આવેલ છે જેને કારણે પાછળના વિસ્તારો જેવા કે શીયાપુરા, રાવપુરા જેવા વિસ્તારોની ડ્રેનેજ લાઈનો બહાર ઉભરાવવાની ફરીયાદો વધી ગઈ છે.
What's Your Reaction?






