વડોદરાના કમાટીબાગમાં જોય ટ્રેન ફરી શરૂ કરવા માટે પોલીસ તંત્રની મંજૂરી માંગી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Kamatibaug Joy Train : વડોદરા કોર્પોરેશનના કમાટીબાગમાં જોય ટ્રેન હેઠળ ગયા મે મહિના દરમિયાન જંબુસરની ચાર વર્ષની એક બાળકી અડફેટે આવી જતા તેનું મરણ થયું હતું, ત્યારથી જોય ટ્રેન બંધ કરી દેવામાં આવી છે. ફરી જોય ટ્રેન ચાલુ કરવા માટે શહેર પોલીસ પાસે મંજૂરી માગવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
બાળકીના મરણનો બનાવ બન્યા બાદ પોલીસ તંત્ર દ્વારા જ જોય ટ્રેન બંધ કરવાનો આદેશ આપ્યો હતો. હાલ જોય ટ્રેનના ડબ્બા અને એન્જિનની મેન્ટેનન્સની રૂટીન કામગીરી ચાલુ છે. મરણની ઘટના બન્યા બાદ જે સ્થળે અકસ્માત થયો હતો ત્યાં ટ્રેકની બંને બાજુ સેફટી ગ્રીલ ઊભી કરવામાં આવી છે, કારણ કે અહીં રોડ અને ટ્રેક સાવ અડીને જ હોવાથી અકસ્માત થવા ભય રહે છે.
What's Your Reaction?






