લ્યો હવે અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા યોજાશે, વિજેતાને 1 લાખ સુધીના ઈનામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Navratri News : અમદાવાદને વધુ સ્વચ્છ શહેર બનાવવા હવે સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા-2025નું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામા આવ્યુ છે. નવરાત્રિ પર્વ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો પડશે. કોર્પોરેશન રહેણાંક વિસ્તાર તથા સામૂહિક ગરબા એમ બે કેટેગરીમા સ્પર્ધા યોજી બંને કેટેગરીમાં ત્રણ ત્રણ વિજેતાને રોકડ પુરસ્કાર આપશે. જે એક લાખ રૂપિયા સુધી હોઇ શકે છે.
નવરાત્રિ પર્વ દરમિયાન ગરબાના તથા આસપાસના સ્થળોને સ્વચ્છ રાખવા રહેણાંક એકમોની કેટેગરીમાં સોસાયટીઓ, ફલેટ વગેરે તથા સામૂહિક ગરબા કેટેગરીમાં પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ કે ખુલ્લા પ્લોટમાં આયોજિત કરવામા આવતા ગરબાનો સમાવેશ કરાયો છે.
What's Your Reaction?






