રાજકોટને મળી શકે છે મેટ્રોની ભેટ! ટ્રાફિકની સમસ્યા થશે હલ

રાજકોટને પણ હવે મેટ્રો રેલ મળી શકે છે. 10 હજારના ખર્ચે રાજકોટમાં મેટ્રો મળી શકે છે. જેને લઈને 38 કિલોમીટરના રુટ તૈયાર કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો સાથે જ મેટ્રો રેલના અધિકારીઓ દ્વારા રાજ્કોટનો સર્વે પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. મહત્વનું કહી શકાય કે, ગુજરાત સરકારે મેટ્રોની મંજૂરી માટે ડીપીઆર કેન્દ્રમાં પ્રસ્તાવ મોકલી દીધો છે.રાજકોટને મળશે મેટ્રોની ભેટ! ઉલ્લેખનીય છે કે, જો કેન્દ્રની મંજૂરી મળે તો રાજકોટમાં મેટ્રો દોડી શકે છે. ત્યારે મેટ્રો રેલથી રાજકોટના 25થી 30 હજાર લોકો લાભ લેશે. સાથે જ મહત્વનું કહી શકાય કે, રાજકોટમાં મેટ્રો આવવાથી ટ્રાફિકની સમસ્યા હલ થઈ જશે. રાજકોટમાં મેટ્રો શરૂ કરવા માટે 10 હજારનો ખર્ચ થઈ શકે છે. રિયલ એસ્ટેટને પણ પ્રોત્સાહન મળશે મેટ્રો રેલના વિસ્તરણથી નવા સ્ટેશનની આસપાસ રિયલ એસ્ટેટને પણ પ્રોત્સાહન મળશે. કનેક્ટિવિટીમાં સુધારો થવાની સાથે આસપાસના વિસ્તારોમાં વ્યવસાયિક અને રહેણાંક એકમોની માંગ ઉભી થશે, જેના લીધે રોકાણની નવી તકો પેદા થશે. એક વાજબી પરિવહન વિકલ્પ શહેરને મળવાથી, મેટ્રો રેલ જીવનની ગુણવત્તાને વધારવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવશે. મુસાફરોના સમય અને ખર્ચની બચત તેમજ ખાનગી વાહન પરની નિર્ભરતા ઓછી થવાથી, નાગરિકોના સ્વાસ્થ્ય, સુખાકારી તેમજ લોકોની આર્થિક સુરક્ષા પર લાંબાગાળાની અસર થશે. અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું હબ બનવાની શરૂઆત આવનારા સમયમાં, ગુજરાતમાં એક ટકાઉ અને મજબૂત પરિવહન નેટવર્ક બનાવવાની દિશામાં, મેટ્રોનું વિસ્તરણ માત્ર શરૂઆત છે. આગામી સમયમાં મેટ્રોના વ્યાપક વિસ્તરણની કામગીરી અત્યારે પ્રક્રિયામાં છે જેનાથી એક એવી ઇન્ટીગ્રેટેડ સિસ્ટમ બનશે જે રાજ્યના નાગરિકોને દાયકાઓ સુધી સેવા આપશે. વૈશ્વિક અર્બન સેન્ટર બનવાની ગુજરાતની યાત્રામાં, અમદાવાદ મેટ્રો રેલ એક્સ્ટેન્શન એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન બન્યું છે.

રાજકોટને મળી શકે છે મેટ્રોની ભેટ! ટ્રાફિકની સમસ્યા થશે હલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટને પણ હવે મેટ્રો રેલ મળી શકે છે. 10 હજારના ખર્ચે રાજકોટમાં મેટ્રો મળી શકે છે. જેને લઈને 38 કિલોમીટરના રુટ તૈયાર કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો સાથે જ મેટ્રો રેલના અધિકારીઓ દ્વારા રાજ્કોટનો સર્વે પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. મહત્વનું કહી શકાય કે, ગુજરાત સરકારે મેટ્રોની મંજૂરી માટે ડીપીઆર કેન્દ્રમાં પ્રસ્તાવ મોકલી દીધો છે.

રાજકોટને મળશે મેટ્રોની ભેટ!

ઉલ્લેખનીય છે કે, જો કેન્દ્રની મંજૂરી મળે તો રાજકોટમાં મેટ્રો દોડી શકે છે. ત્યારે મેટ્રો રેલથી રાજકોટના 25થી 30 હજાર લોકો લાભ લેશે. સાથે જ મહત્વનું કહી શકાય કે, રાજકોટમાં મેટ્રો આવવાથી ટ્રાફિકની સમસ્યા હલ થઈ જશે. રાજકોટમાં મેટ્રો શરૂ કરવા માટે 10 હજારનો ખર્ચ થઈ શકે છે.

રિયલ એસ્ટેટને પણ પ્રોત્સાહન મળશે

મેટ્રો રેલના વિસ્તરણથી નવા સ્ટેશનની આસપાસ રિયલ એસ્ટેટને પણ પ્રોત્સાહન મળશે. કનેક્ટિવિટીમાં સુધારો થવાની સાથે આસપાસના વિસ્તારોમાં વ્યવસાયિક અને રહેણાંક એકમોની માંગ ઉભી થશે, જેના લીધે રોકાણની નવી તકો પેદા થશે. એક વાજબી પરિવહન વિકલ્પ શહેરને મળવાથી, મેટ્રો રેલ જીવનની ગુણવત્તાને વધારવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવશે. મુસાફરોના સમય અને ખર્ચની બચત તેમજ ખાનગી વાહન પરની નિર્ભરતા ઓછી થવાથી, નાગરિકોના સ્વાસ્થ્ય, સુખાકારી તેમજ લોકોની આર્થિક સુરક્ષા પર લાંબાગાળાની અસર થશે.

અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું હબ બનવાની શરૂઆત

આવનારા સમયમાં, ગુજરાતમાં એક ટકાઉ અને મજબૂત પરિવહન નેટવર્ક બનાવવાની દિશામાં, મેટ્રોનું વિસ્તરણ માત્ર શરૂઆત છે. આગામી સમયમાં મેટ્રોના વ્યાપક વિસ્તરણની કામગીરી અત્યારે પ્રક્રિયામાં છે જેનાથી એક એવી ઇન્ટીગ્રેટેડ સિસ્ટમ બનશે જે રાજ્યના નાગરિકોને દાયકાઓ સુધી સેવા આપશે. વૈશ્વિક અર્બન સેન્ટર બનવાની ગુજરાતની યાત્રામાં, અમદાવાદ મેટ્રો રેલ એક્સ્ટેન્શન એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન બન્યું છે.