મકરબા-જુહાપુરામાં રૂપિયા૧.૬૦ લાખમાં મકાન આપવાનું કહી છેતરપિંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,સોમવાર
જુહાપુરામાં રહેતા દંપતિ અને તેના બે સંતાનોએ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ઓળખાણ હોવાનું કહીને જુહાપુરા અને મકરબામાં ૧.૬૦ લાખમાં મકાન અથવા દુકાન અપાવવાનુ અનેક લોકોએ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંધવામાં આવી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં આ કૌભાંડમાં અનેક મહત્વની વિગતો સામે આવી છે.
જમાલપુરમાં રહેતા ૬૯ વર્ષીય જોહરા કુરેશીએ ફરિયાદ નોંધાવી છે કે જુહાપુરા સંકલીતનગરમાં રહેતા સાઇનાબાનું સિપાઇ, તેના પતિ અનવર, તેમનો પુત્ર અયાન અને મીસ્બાહે તેમના સગા ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ઉંચા હોદા પર હોવાથી લાગવગને કારણે જુહાપુરા અને મકરબામાં તૈયાર કરવામાં આવી રહેલી સ્કીમમાં માત્ર ૧.૬૦ લાખમાં મકાન કે દુકાન મળી જશે.
What's Your Reaction?






