બિલાલ મર્ડર કેસમાં આરોપી ઇમરાન સૈયદની જામીન અરજી ફગાવવામાં આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,સોમવાર
શહેરના મિરઝાપુર વિસ્તારમાં આશરે પોણા બે વર્ષ પહેલા બિલાલ બેલીમ નામના યુવકની ધંધાકીય અદાવતમાં પિતા અને તેના ત્રણ પુત્રોએ છરીના ૩૯ જેટલા ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ કેસના આરોપી ઇમરાન સૈયદની જામીન અરજી સશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એ કેસના આરોપીઓની જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.
શહેરના મીરઝાપુર વિસ્તારમાં રહેતા બિલાલ બેલીમ નામના યુવકની કરીમખાન સૈયદ અને તેના પુત્ર મોહસીન પઠાણ, ઇમરાન પઠાણ અને વસીમ પઠાણ દ્વારા ધંધાકીય અદાવતમાં છરીના ૩૯ જેટલા ઘા ઝીંકીને ગત ૩૧મી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓની શાહપુર પોલીસે ધરપકડ કરી સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
What's Your Reaction?






