પ્રજાના પ્રશ્નોથી મંત્રી ઘેરાયા! સુઈગામમાં પીવાના પાણી મુદ્દે ચકમક ઝરતા મંત્રીએ કેમેરા બંધ કરાવ્યા, જનતા દરબારમાં હોબાળો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Suigam Janta Darbar Drinking Water Crisis: વાવ-થરાદના સુઈગામ ખાતે રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયેલા જનતા દરબાર કાર્યક્રમ દરમિયાન પાણીનો પ્રશ્ન સૌથી ગંભીર મુદ્દા તરીકે સામે આવ્યો હતો. મતવિસ્તારના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં આવેલા ગ્રામજનોએ પીવાના પાણીની અછત, અનિયમિત પાણી પુરવઠો, જૂની પાઈપલાઈનો તથા પ્રિ-મોન્સૂન કામગીરીના અભાવ અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી.
સુઈગામના જનતા દરબારમાં પીવાના પાણી મુદ્દે સ્થાનિકોમાં રોષ
કાર્યક્રમ દરમિયાન અનેક અરજદારો પાણીની સમસ્યાને લઈને મંત્રી સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. કેટલાક ગામોમાં પાણીની વિકટ સ્થિતિને કારણે લોકોમાં ભારે રોષ અને અસંતોષ પણ જોવા મળ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

