પાઠય પુસ્તકો માટે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને દબાણ નહીં કરવા અપીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ વડોદરા શહેરમાં પાઠય પુસ્તકોની અછતના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન છે ત્યારે આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો હતો.ઘણા વિદ્યાર્થીઓને આજે પાઠય પુસ્તકો વગર જ સ્કૂલે જવાનો વારો આવ્યો હતો.
મળતી વિગતો પ્રમાણે ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને પાઠય પુસ્તકો દુકાનો પરથી ખરીદવા પડતા હોય છે અને દુકાનદારોને તેનો પૂરતો સ્ટોક મળ્યો જ નથી.એક અંદાજ પ્રમાણે વડોદરાની માગ સામે ૪૦ ટકા જ પુસ્તકો હજી સુધી માર્કેટમાં આવ્યા છે અને તેના કારણે શૈક્ષણિક વર્ષ શરુ થયા બાદ પણ પાઠય પુસ્તકોની મારામારી ચાલુ રહી છે.આજે પણ વાલીઓએ દુકાનો પર પાઠય પુસ્તકો માટે પૂછપરછ ચાલુ રાખી હતી.સાંજ થતા જ ફરી એક વખત વાલીઓનો દુકાનો પર ધસારો જોવા મળ્યો હતો.
What's Your Reaction?






