પરિવારને ગુમાવનાર મહિલાને સયાજીમાંથી રજા આપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,ગંભીરા ગામ નજીક મહિસાગર નદી પરનો બ્રિજ તૂટી પડતા દરિયાપુરનો એક પરિવાર દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. પરિવારની બચી ગયેલી મહિલાને સારવાર પછી તબિયત સારી હોઇ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
પાદરા નજીકના ગંભીરા ગામ નજીકનો બ્રિજ ધરાશાયી થતા નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, ગણપતસિંહ ખાનસિંહ રાજપૂત, રાજુભાઇ ડોડાભાઇ, દિલીપ રાયસિંહ પઢિયાર તથા સોનલબેન રમેશભાઇ પઢિયારને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સોનલબેન પઢિયાર તેમના પરિવાર સાથે બગદાણા દર્શન કરવા જતા હતા અને દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. તેમના પતિ, દીકરો, દીકરી સહિત પરિવારના છ ના મોત થયા હતા. સોનલબેનની તબિયત સારી હોઇ તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
What's Your Reaction?






