નવા ટેક્સ રિજિમનો વિકલ્પ પસંદ કરનારા કરદાતાઓનું લીવ ટ્રાવેલ એલાવન્સ વેરા પાત્ર ગણાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
પહેલી એપ્રિલ ૨૦૨૫-૨૬થી અમલમાં આવી રહેલી નવી વેરા સિસ્ટમમાં ૧૨ લાખ સુધીની વાર્ષિક આવકને વેરામુક્ત જાહેર કરી દેવામાં આવી છે, પરંતુ તે કરદાતાઓને તેમની કંપની તરફથી આપવામાં આવતા લીવ ટ્રાવેલ એલાવન્સને પણ વેરાને પાત્ર ગણી લેવામાં આવશે. જૂની સિસ્ટમમાં આવકવેરા ધારાની કલમ ૮૦જી હેઠળ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સ્ટોકમાર્કેટના ઇન્વેસ્ટમેન્ટ, વીમાના પ્રીમિયમ બાદ મળતા હતા તે નવી ટેક્સ સિસ્ટમમાં રિટર્ન ફાઈલ કરનારાઓને આપવામાં આવશે જ નહિ. જૂની સિસ્ટમાં રિટર્ન ફાઈલ કરનારાઓને આ લાભ મળશે, પરંતુ તેમની જૂની સિસ્ટમ હેઠળ વેરાના સ્લેબ પ્રમાણે વેરો જમા કરાવવાની ફરજ પડશે.
What's Your Reaction?






