જામનગરમાં બે મહિનાથી વધુના સમયગાળા બાદ અંબર ચોકડીનો રસ્તો આખરે આજે સવારથી ખુલ્યો : વાહનોની અવરજવર શરૂ

Jul 18, 2025 - 14:30
જામનગરમાં બે મહિનાથી વધુના સમયગાળા બાદ અંબર ચોકડીનો રસ્તો આખરે આજે સવારથી ખુલ્યો : વાહનોની અવરજવર શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar : જામનગર શહેરમાં ખૂબ જ ભીડભાડવાળો અને અત્યંત વ્યસ્ત અંબર ચોકડીનો માર્ગ કે જ્યાં ફલાય ઓવર બ્રિઝનો સ્લેબ મુકવાનું કામ ચાલી રહ્યું હતું, અને પતરાની આડસો મૂકીને ડાઈવર્ઝન કાઢીને રસ્તો બનાવાયો હતો. 

આ સ્થળે છેલ્લા બે માસથી રોડની મધ્યમાં બ્રિજનો સ્લેબ બનતો હોવાના કારણે સાઈડમાંથી રસ્તો કાઢવામાં આવ્યા હતા, અને રોડની બંને સાઈડમાં પતરા મુકવામાં આવ્યા હતા. આખરે રોડની મધ્યમાં સ્લેબ અને તેને સંલગ્ન કલર કામ સહિતની કાર્યવાહી ગઈકાલે મોડી રાત્રે પૂર્ણ થઈ હતી, અને આખરે વચ્ચે લગાવેલા પતરા હટાવી લેવાતાં મુખ્ય રસ્તો ખુલ્લો થઈ ગયો હતો, અને આજે વહેલી સવારથી અંબર રોડથી જૂના રેલ્વે સ્ટેશન તરફ જવાના માર્ગે વાહનો સીધા નીકળ્યા હતા.

 ત્યારે ડીએસપી બંગલા તરફથી આવતા વાહનો અંબર સિનેમા રોડ તરફ જવા માટે મુખ્ય રોડ પરથી જ પસાર થઈ ગયા હતા, અને વાહનચાલકોએ મોટી રાહત અનુભવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0