ગાંધીનગરને હરિયાળું રાખવાની ફક્ત વાતો: વર્ષો જૂનો આંબો નડતરરૂપ ન હોવા છતાં કાપી નંખાતા તંત્ર સામે રોષ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gandhinagar News: ગાંધીનગર શહેરના સેક્ટર-3 વિસ્તારમાં આવેલા ઘ-દોઢ વિસ્તાર પાસે વન વિભાગ દ્વારા દસકો જૂના આંબાના વૃક્ષને કાપી નાખવામાં આવતા પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વન વિભાગે આટલા મૂલ્યવાન વૃક્ષને કાપવા માટે માત્ર 1676 રૂપિયાનું નજીવું ચલણ લઈને મંજૂરી આપી દીધી હતી.
આંબો નડતો ના હોવા છતાં કાપી નાંખવામાં આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ
શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજય શર્મા સહિતના સભ્યોએ આ ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચીને વન વિભાગની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે, 'હું જ્યારે હીર કોમ્પ્લેક્સ પાસે થેરાપી માટે આવ્યો હતા, આ દરમિયાન વરસાદી માહોલ વચ્ચે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને તેની ટીમ દ્વારા વર્ષો જૂના ઘટાદાર આંબાનું ઝાડ કાપવામાં આવી રહ્યું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

