ગાંધીનગરના ઈન્દ્રોડામાં રિક્ષાચાલકની નિર્મમ હત્યા, માથાના ભાગે અત્યંત ગંભીર ઈજા; શંકાના આધારે તપાસ શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gandhinagar Crime News: ગાંધીનગર નજીક આવેલા ઇન્દ્રોડા ગામમાં આજે (14 ઑક્ટોબર) સવારે એક ગમખ્વાર હત્યાની ઘટના સામે આવી છે. 42 વર્ષીય રિક્ષાચાલક અરજણ ઠાકોરની લાશ ઇન્દ્રોડા ગામના ઐતિહાસિક કિલ્લા પાસેથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે મૃતકની કોઈ હથિયારથી ક્રૂરતાપૂર્વક ફટકા મારીને હત્યા કરવામાં આવી છે.
ઇન્દ્રોડા ગામના રહેવાસી અરજણ ઠાકોર સોમવારે સવારે રોજની જેમ રિક્ષા લઈને ધંધા માટે ઘરેથી નીકળ્યા હતા, પરંતુ મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. પરિવારને શંકા હતી કે મૃતકને દારૂ પીવાની ટેવ હોવાથી તેમનો અવારનવાર કિલ્લા વિસ્તારમાં જતો હતો.
What's Your Reaction?






