ગાંધીધામમાં જાહેરમાં ઢોર માર મારી દેશલપરના યુવાનની કરપીણ હત્યા

- માધાપરની હોટલમાં કામ કરતો યુવાન ગાંધીધામ શા માટે આવ્યો? રહસ્ય- હત્યાના બનાવ બાદ પોલીસે નાકાબંધી કરી, આડેસર નજીક બે શંકાસ્પદો પકડાયા હોવાની ચર્ચા ગાંધીધામ : દિવાળી નજીક છે જેથી કચ્છની આથક નગરી તરીકે ઓળખાતા ગાંધીધામ મહાનગરમાં કચ્છના છેવાડાનો માનવી પણ ખરીદી કરવા આવતો હોય છે ત્યારે ભુજના દેશલપરમાં રહેતો અને માધાપરની ખાનગી હોટલમાં કામ કરતા યુવાનને કોઈ અજાણ્યા ઇસમોએ બેલ્ટ જેવા હથિયાર વડે ઢોર માર માર્યા બાદ તેઓ નાસી ગયા હતા. જેથી અર્ધબેભાન હાલતમાં મળેલા યુવાનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. દરમિયાન તેનું રસ્તામાં જ અવસાન થઈ ગયું હતું. આ ઘટનામાં સ્થાનિકેથી એવિ વાતો પણ સાંભળવા મળી હતી કે, યુવાન રહે છે દેશલપર, નોકરી કરે છે માધાપર તો તે ગાંધીધામ આવ્યો શા માટે? તો બીજી તરફ બપોરે અંદાજિત ૧૨ વાગ્યે બનેલા આ બનાવમાં આરોપીઓ કચ્છ મૂકીને નાસી ન જાય તે માટે જિલ્લાના પ્રવેશદ્વાર પર નાકાબંધી કરી નાખવામાં આવી હતી.

ગાંધીધામમાં જાહેરમાં ઢોર માર મારી દેશલપરના યુવાનની કરપીણ હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- માધાપરની હોટલમાં કામ કરતો યુવાન ગાંધીધામ શા માટે આવ્યો? રહસ્ય

- હત્યાના બનાવ બાદ પોલીસે નાકાબંધી કરી, આડેસર નજીક બે શંકાસ્પદો પકડાયા હોવાની ચર્ચા 

ગાંધીધામ : દિવાળી નજીક છે જેથી કચ્છની આથક નગરી તરીકે ઓળખાતા ગાંધીધામ મહાનગરમાં કચ્છના છેવાડાનો માનવી પણ ખરીદી કરવા આવતો હોય છે ત્યારે ભુજના દેશલપરમાં રહેતો અને માધાપરની ખાનગી હોટલમાં કામ કરતા યુવાનને કોઈ અજાણ્યા ઇસમોએ બેલ્ટ જેવા હથિયાર વડે ઢોર માર માર્યા બાદ તેઓ નાસી ગયા હતા. જેથી અર્ધબેભાન હાલતમાં મળેલા યુવાનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. દરમિયાન તેનું રસ્તામાં જ અવસાન થઈ ગયું હતું. આ ઘટનામાં સ્થાનિકેથી એવિ વાતો પણ સાંભળવા મળી હતી કે, યુવાન રહે છે દેશલપર, નોકરી કરે છે માધાપર તો તે ગાંધીધામ આવ્યો શા માટે? તો બીજી તરફ બપોરે અંદાજિત ૧૨ વાગ્યે બનેલા આ બનાવમાં આરોપીઓ કચ્છ મૂકીને નાસી ન જાય તે માટે જિલ્લાના પ્રવેશદ્વાર પર નાકાબંધી કરી નાખવામાં આવી હતી.