ગણેશ ઉત્સવ 2025: વડોદરામાં 90,000 શ્રીજીની મૂર્તિઓના વેચાણનો અંદાજ, રૂ. 20 કરોડના વેપારની શક્યતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ganesh Utsav 2025: ગણેશોત્સવને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે શહેરના વિવિધ વિસ્તારમાં શ્રીજીની મૂર્તિનું વેચાણ કરતી દુકાનો અને પંડાલમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. વડોદરાના વેપારીઓએ આ વર્ષે 200થી વધુ દુકાનો અને પંડાલમાં 90 હજારથી વધુ મૂર્તિઓનું વેચાણ થવાની આશા વ્યક્ત કરી હતી, જેમાં અંદાજે 20 હજાર મૂર્તિઓ વડોદરા શહેરમાં જ વેચાશે અને તેના કારણે મૂર્તિનો કુલ કારોબાર 20 કરોડને આંબી જશે.
માટીની મૂર્તિનું વેચાણ વધ્યું
પીઓપી બાબતે લોકોમાં જાગૃતિ આવતા હવે માટીની મૂર્તિનું વેચાણ ઘણુ વધ્યું છે. માટીની મૂર્તિ પીઓપીની સરખામણીએ મોંઘી હોવા છતાં લોકો હવે માટીની મૂર્તિ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યાં છે.
What's Your Reaction?






