વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન, આવતીકાલે જીએમડીસી ગ્રાઉન્ડમાં સભા સંબોધશે

PM Narendra Modi Gujarat Visit Schedule : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસ આવી ગયા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થતાં જ સ્વાગત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત ભાજપના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું છે. વડાપ્રઘાન એરપોર્ટ પરથી મુખ્યમંત્રી સાથે વડસર જવા રવાના થયા છે. અહીંનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પીએમ રાજભવન ખાતે જવા રવાના થશે, જ્યાં તેઓ બેઠક અને રાત્રિ રોકાણ કરશે.PM Modi Gujarat Visit LIVE Update...• વડાપ્રધાન રાજભવન પહોંચ્યા : વડાપ્રધાન મોદી વડસર એરફોર્સ સ્ટેશન અને નવા ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધા બાદ ગાંધીનગર રાજભવન ખાતે પહોંચ્યા છે. અહીં તેઓ વિવિધ બેઠકોમાં ભાગ લઈ રહ્યા છે, જ્યાં નેતાઓ સહિત અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી રહ્યા છે. બેઠકો બાદ તેઓ રાજભવનમાં જ રાત્રિ રોકાણ કરશે.• પીએમ વડસર જવા રવાના : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બાય રોડ વડસર જવા રવાના થયા છે. અહીં તેઓ વડસર એરફોર્સ સ્ટેશને નવા ઓપરેશન કોમ્પલેક્ષની મુલાકાત લેશે ત્યારબાદ તેઓ રાજભવનમાં વિવિધ બેઠકો કરશે. • અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું સ્વાગત : ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર સહીતના અધિકારીઓ અને પદાધિકારીઓએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી રાજભવન જશેવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવી ગયા છે. તેઓ આજના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ આવતીકાલે પણ અનેક કાર્યક્રમો યોજાવાના છે, જેમાં તેઓ ગુજરાતને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. સાથો સાથ કેટલીક મહત્ત્વપૂર્ણ બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. આ પણ વાંચો : પ્રજા માટે નહીં પણ PM મોદીના આગમનને પગલે ગુજરાતના રસ્તાઓની રાતોરાત કાયાપલટ કરાઈ!વડાપ્રધાન મોદીનો 15 સપ્ટેમ્બરનો કાર્યક્રમવડાપ્રધાન મોદી 15થી 17 સપ્ટેમ્બર સુધી પોતાના માદરે વતન ગુજરાતમાં રહેશે. ત્યારે આજે (15 સપ્ટેમ્બરે) વડાપ્રધાન મોદી સાંજના સમયે અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે. અહીંથી તેઓ વડસર એરફોર્સ સ્ટેશને નવા ઓપરેશન કોમ્પલેક્ષની મુલાકાત લેશે. ત્યારબાદ સાંજે રાજભવન જશે જ્યાં રાત્રી રોકાણ અને બેઠકનું આયોજન કરાયું છે.16 સપ્ટેમ્બરનો કાર્યક્રમજ્યારે 16 સપ્ટેમ્બરે વડાપ્રધાન સવારે 10 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રી-ઈન્વેસ્ટ રીન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવશે. આ પછી બપોરે 12 વાગ્યે રાજભવન જશે. ત્યારબાદ બપોરે 1:30 વાગ્યે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી આપશે. અને સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરશે. તો 3:30 વાગ્યે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે. જ્યાં 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. સાંજે 6 વાગ્યે રાજભવન જશે. આ પણ વાંચો : PM મોદીના મતવિસ્તારમાં ગંગા તોફાની બની, અનેક ઘાટ ડૂબ્યાં, છત પર અંતિમ સંસ્કાર કરવા મજબૂર

વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન, આવતીકાલે જીએમડીસી ગ્રાઉન્ડમાં સભા સંબોધશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


PM Narendra Modi Gujarat Visit Schedule : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસ આવી ગયા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થતાં જ સ્વાગત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત ભાજપના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું છે. વડાપ્રઘાન એરપોર્ટ પરથી મુખ્યમંત્રી સાથે વડસર જવા રવાના થયા છે. અહીંનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પીએમ રાજભવન ખાતે જવા રવાના થશે, જ્યાં તેઓ બેઠક અને રાત્રિ રોકાણ કરશે.

PM Modi Gujarat Visit LIVE Update...

• વડાપ્રધાન રાજભવન પહોંચ્યા : વડાપ્રધાન મોદી વડસર એરફોર્સ સ્ટેશન અને નવા ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધા બાદ ગાંધીનગર રાજભવન ખાતે પહોંચ્યા છે. અહીં તેઓ વિવિધ બેઠકોમાં ભાગ લઈ રહ્યા છે, જ્યાં નેતાઓ સહિત અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી રહ્યા છે. બેઠકો બાદ તેઓ રાજભવનમાં જ રાત્રિ રોકાણ કરશે.

• પીએમ વડસર જવા રવાના : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બાય રોડ વડસર જવા રવાના થયા છે. અહીં તેઓ વડસર એરફોર્સ સ્ટેશને નવા ઓપરેશન કોમ્પલેક્ષની મુલાકાત લેશે ત્યારબાદ તેઓ રાજભવનમાં વિવિધ બેઠકો કરશે.

અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું સ્વાગત : ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર સહીતના અધિકારીઓ અને પદાધિકારીઓએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.

વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી રાજભવન જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવી ગયા છે. તેઓ આજના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ આવતીકાલે પણ અનેક કાર્યક્રમો યોજાવાના છે, જેમાં તેઓ ગુજરાતને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. સાથો સાથ કેટલીક મહત્ત્વપૂર્ણ બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. 

આ પણ વાંચો : પ્રજા માટે નહીં પણ PM મોદીના આગમનને પગલે ગુજરાતના રસ્તાઓની રાતોરાત કાયાપલટ કરાઈ!

વડાપ્રધાન મોદીનો 15 સપ્ટેમ્બરનો કાર્યક્રમ

વડાપ્રધાન મોદી 15થી 17 સપ્ટેમ્બર સુધી પોતાના માદરે વતન ગુજરાતમાં રહેશે. ત્યારે આજે (15 સપ્ટેમ્બરે) વડાપ્રધાન મોદી સાંજના સમયે અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે. અહીંથી તેઓ વડસર એરફોર્સ સ્ટેશને નવા ઓપરેશન કોમ્પલેક્ષની મુલાકાત લેશે. ત્યારબાદ સાંજે રાજભવન જશે જ્યાં રાત્રી રોકાણ અને બેઠકનું આયોજન કરાયું છે.

16 સપ્ટેમ્બરનો કાર્યક્રમ

જ્યારે 16 સપ્ટેમ્બરે વડાપ્રધાન સવારે 10 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રી-ઈન્વેસ્ટ રીન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવશે. આ પછી બપોરે 12 વાગ્યે રાજભવન જશે. ત્યારબાદ બપોરે 1:30 વાગ્યે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી આપશે. અને સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરશે. તો 3:30 વાગ્યે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે. જ્યાં 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. સાંજે 6 વાગ્યે રાજભવન જશે. 

આ પણ વાંચો : PM મોદીના મતવિસ્તારમાં ગંગા તોફાની બની, અનેક ઘાટ ડૂબ્યાં, છત પર અંતિમ સંસ્કાર કરવા મજબૂર