બોટાદના કૃષ્ણસાગર તળાવમાં નર્મદાનું પાણી લેવલ કરતા વધુ ઠાલવાતા વેડફાટ

- એક મહિનાથી સતત પાણીનો વેડફાટ અંગે તંત્રને જાણ કરવા છતાં કોઈ પગલા નહીં- બાજુમાં આવેલા બગીચા અને રોડ પર ફરી વળતા પાણી : એક તરફ પાણીનો વેડફાટ જ્યારે બીજી બાજુ તંત્ર દ્વારા પીવાનું પાણી પાંચ-સાત દિવસે અપાય છેબોટાદ :  બોટાદના કૃષ્ણસાગર તળાવમાં નર્મદાનું પાણી લેવલ કરતા વધુ પાણી ઠાલવાતા બાજુમાં આવેલા બગીચા અને રોડ પર પાણી ફરી વળતા પાણીનો વેડફાટ થયાને એક માસનો સમય વીતી ગયો હોવા છતાં તંત્રએ કોઈ પગલા નહીં લીધા હોવાની લોકોમાં રાવ-ફરિયાદ પ્રવર્તી રહી છે. આ અંગેની વિગત અનુસાર બોટાદના કૃષ્ણસાગર તળાવમાં નર્મદાનું પાણી લેવલ કરતા વધુ ભરાતા તળાવમાંથી પાણી શિરવાણ ફૂટયા હતા અને આ પાણી બગીચામાં ભરાતા પાણીના કારણે સવા કરોડના ખર્ચે બનાવાયેલ બગીચાની હાલત બગડી ગઈ છે. જ્યારે પાણીને અટકાવવાને બદલે તંત્ર દ્વારા નગરપાલિકા સંચાલિત ગાર્ડનમાં પાણીની મોટર પંપ દ્વારા પાણીને બહાર જાહેર રોડ પર કાઢવવામાં આવે છે.

બોટાદના કૃષ્ણસાગર તળાવમાં નર્મદાનું પાણી લેવલ કરતા વધુ ઠાલવાતા વેડફાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- એક મહિનાથી સતત પાણીનો વેડફાટ અંગે તંત્રને જાણ કરવા છતાં કોઈ પગલા નહીં

- બાજુમાં આવેલા બગીચા અને રોડ પર ફરી વળતા પાણી : એક તરફ પાણીનો વેડફાટ જ્યારે બીજી બાજુ તંત્ર દ્વારા પીવાનું પાણી પાંચ-સાત દિવસે અપાય છે

બોટાદ :  બોટાદના કૃષ્ણસાગર તળાવમાં નર્મદાનું પાણી લેવલ કરતા વધુ પાણી ઠાલવાતા બાજુમાં આવેલા બગીચા અને રોડ પર પાણી ફરી વળતા પાણીનો વેડફાટ થયાને એક માસનો સમય વીતી ગયો હોવા છતાં તંત્રએ કોઈ પગલા નહીં લીધા હોવાની લોકોમાં રાવ-ફરિયાદ પ્રવર્તી રહી છે. 

આ અંગેની વિગત અનુસાર બોટાદના કૃષ્ણસાગર તળાવમાં નર્મદાનું પાણી લેવલ કરતા વધુ ભરાતા તળાવમાંથી પાણી શિરવાણ ફૂટયા હતા અને આ પાણી બગીચામાં ભરાતા પાણીના કારણે સવા કરોડના ખર્ચે બનાવાયેલ બગીચાની હાલત બગડી ગઈ છે. જ્યારે પાણીને અટકાવવાને બદલે તંત્ર દ્વારા નગરપાલિકા સંચાલિત ગાર્ડનમાં પાણીની મોટર પંપ દ્વારા પાણીને બહાર જાહેર રોડ પર કાઢવવામાં આવે છે.