બાવળીયાળી નજીક કારે મહિલાને અડફેટે લેતા મોત

- મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું - ખેડા જિલ્લાના પરિવાર પગપાળા દર્શન કરવા માટે ખોડીયાર મંદિર આવી રહ્યા હતા ત્યારે બાવળીયાળી નજીક અકસ્માત સર્જાયોભાવનગર : ખેડા જિલ્લાના માતર તાલુકાના નંડોલી ગામે રહેતા કુટુંબીજનો પગપાળા ખોડીયાર મંદિર દર્શન કરવા માટે આવી રહ્યા હતા તે દરમિયાન બાવળીયાળી નજીક કરે મહિલાને અડફેટે લેતા મહિલાનું મોત નિપજ્યું હતું.આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ખેડા જિલ્લાના માતર તાલુકાના નંડોલી ગામે રહેતા રાજેશભાઈ કનુભાઈ ચુનારા પત્ની સોનલબેન કુટુંબી સુધાબેન ઘનશ્યામભાઈ ચુનારા તથા મનુંભાઈ ચુનારા ,મંજુલાબેન પ્રહલાદભાઈ ચુનારા ,રમીલાબેન ચુનારા સહિત અન્ય કુટુંબીજનો ભાવનગર ખાતે આવેલા ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે પગપાળા આવતા હતા.દરમિયાનમાં ધોલેરા ભાવનગર હાઇવે રોડ પરના બાવલિયાળી રોંગ સાઈડ કાર નંબર જીજે ૧૭ એન ૭૩૪૮ નાં ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી સોનલબેન સાથે અથડાવી હતી.સોનલબેન ને ગંભીર ઈજા થતાં ગધેળાઈ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના પતિ રાજેશભાઈ એ કાર ચાલક વિરૂધ્ધ ધોલેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બાવળીયાળી નજીક કારે મહિલાને અડફેટે લેતા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું 

- ખેડા જિલ્લાના પરિવાર પગપાળા દર્શન કરવા માટે ખોડીયાર મંદિર આવી રહ્યા હતા ત્યારે બાવળીયાળી નજીક અકસ્માત સર્જાયો

ભાવનગર : ખેડા જિલ્લાના માતર તાલુકાના નંડોલી ગામે રહેતા કુટુંબીજનો પગપાળા ખોડીયાર મંદિર દર્શન કરવા માટે આવી રહ્યા હતા તે દરમિયાન બાવળીયાળી નજીક કરે મહિલાને અડફેટે લેતા મહિલાનું મોત નિપજ્યું હતું.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ખેડા જિલ્લાના માતર તાલુકાના નંડોલી ગામે રહેતા રાજેશભાઈ કનુભાઈ ચુનારા પત્ની સોનલબેન કુટુંબી સુધાબેન ઘનશ્યામભાઈ ચુનારા તથા મનુંભાઈ ચુનારા ,મંજુલાબેન પ્રહલાદભાઈ ચુનારા ,રમીલાબેન ચુનારા સહિત અન્ય કુટુંબીજનો ભાવનગર ખાતે આવેલા ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે પગપાળા આવતા હતા.દરમિયાનમાં ધોલેરા ભાવનગર હાઇવે રોડ પરના બાવલિયાળી રોંગ સાઈડ કાર નંબર જીજે ૧૭ એન ૭૩૪૮ નાં ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી સોનલબેન સાથે અથડાવી હતી.સોનલબેન ને ગંભીર ઈજા થતાં ગધેળાઈ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના પતિ રાજેશભાઈ એ કાર ચાલક વિરૂધ્ધ ધોલેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.