પંચમહાલ: શહેરામાં 141 ક્વિન્ટલ તુવેર દાળનો નમૂનો ફેલ, એજન્સીને જથ્થો પરત કરાશે

Oct 16, 2025 - 03:00
પંચમહાલ: શહેરામાં 141 ક્વિન્ટલ તુવેર દાળનો નમૂનો ફેલ, એજન્સીને જથ્થો પરત કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Panchmahal News : પંચમહાલના શહેરામાં અનાજના ગોડાઉનમાં આવેલા 141 ક્વિન્ટલ તુવેર દાળના જથ્થાનો નમૂનો ફેલ આવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે તંત્રે કાર્યવાહી કરીને દાળનું વિતરણ ન કરવા જણાવ્યું છે, જ્યારે આ તમામ જથ્થો જે-તે એજન્સીને પરત મોકલવામાં આવશે. 

મળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના શહેરામાં આવેલા અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં ગત 4 ઓક્ટોબર, 2025ના રોજ 141 ક્વિન્ટલ તુવેરદાળનો જથ્થો સંગ્રહ કરાયો હતો. સંગ્રહ કરાયેલો દાળનો જથ્થો તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં મધ્યાન ભોજન યોજનામાં વિતરણ કરવાનો હતો. જોકે, નિયમ મુજબ ગોડાઉનમાં સ્ટોક કરાયેલ દાળનું અધિકારી દ્વારા સેમ્પલ લઈને ગાંધીનગર સ્થિત ફૂડ રિસર્ચ લેબ (FRL) કચેરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0