કાલાવડ નજીક નિકાવા ગામ પાસે એસટી બસ બોરવેલના ટ્રકની પાછળ ઘૂસી જતાં સર્જાયેલા અકસ્માતમાં એક દંપતિ અને કંડકટર સહિત પાંચને ઇજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં નિકાવા ગામ પાસે ગઈકાલે સાંજે માર્ગ પર ઉભેલા એક બોરવેલ ટ્રક ની પાછળ એસટી બસ ધડાકાભેર અથડાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એસ.ટી. બસના કંડકટર અને એક દંપત્તિ સહિત પાંચ વ્યક્તિ ઘાયલ થયા હતા, અને તમામને કાલાવડ અને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતને કારણે એસટી બસની કેબીનનો ભૂકકો બોલી ગયો હતો, જ્યારે મુસાફરોમાં ભારેથી ચીસાચીસ થઈ હતી, અને આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. કાલાવડ ગ્રામ્ય પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે.
What's Your Reaction?






